BJP: કોરોનાને લઈ ભાજપનો ચૂંટણી પ્રચાર બન્યો હાઈબ્રીડ, પાર્ટીએ બનાવી નવી રણનીતિ, આ રીતે સોશિયલ મીડિયા પર પ્રસારિત થશે ભાષણ

ભાજપે પ્લાન B અંતર્ગત ડિજિટલ માધ્યમથી જનસંપર્ક કરવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. ડિજિટલ અભિયાન હેઠળ પાર્ટીના મોટા નેતાઓ ડિજિટલ માધ્યમથી બૂથ કાર્યકરોને સંબોધિત કરશે.

BJP: કોરોનાને લઈ ભાજપનો ચૂંટણી પ્રચાર બન્યો હાઈબ્રીડ,  પાર્ટીએ બનાવી નવી રણનીતિ, આ રીતે સોશિયલ મીડિયા પર પ્રસારિત થશે ભાષણ
Election rally will be held in hybrid mode
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:33 AM

BJP Election Campaign: પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ તૈયારીઓમાં વ્યસ્ત છે. કોરોનાને કારણે, આ રાજ્યોમાં કોઈપણ પ્રકારની શારીરિક રેલી પર ચૂંટણી પંચ દ્વારા હાલમાં પ્રતિબંધ છે. તેથી પાંચેય રાજ્યોમાં ભાજપે હાઇબ્રિડ ચૂંટણી રેલીની તૈયારી કરી લીધી છે. પાર્ટીએ વધુમાં વધુ લોકોને હાઈબ્રિડ મોડમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાવવાની યોજના બનાવી છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કોવિડ-19ની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે નવી રણનીતિ બનાવી છે, જે હાઈબ્રિડની સાથે હાઈટેક હશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોમાં ભાજપની નાની ચૂંટણી રેલી હાઈબ્રિડ મોડમાં મોટી ચૂંટણી રેલીમાં પરિવર્તિત થશે. તમામ નાની રેલીઓનું સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. એક રેલીમાં ઓછામાં ઓછા બે લાખ લોકોને આવરી લેવાની યોજના છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ અંગે પાર્ટીના ઘણા મોટા નેતાઓને કહ્યું છે કે તમામ રેલીઓ હાઇબ્રિડ મોડમાં હશે. 

મોટા નેતાઓના ભાષણો વારંવાર બતાવવામાં આવશે

જેપી નડ્ડાએ વધુમાં કહ્યું છે કે ચૂંટણી પ્રચારમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ નાના કાર્યક્રમને સંબોધિત કરશે જ્યારે આ ભાષણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ આ ભાષણો અલગ-અલગ વિસ્તારોમાં ફરીવાર બતાવવામાં આવશે.આ જ તર્જ પર પશ્ચિમ બંગાળ અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વ્યાપક પ્રચાર કર્યો હતો. હવે એ જ ડિજિટલ અને હાઇબ્રિડ પ્રચાર માધ્યમ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં મોટી એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. નેતાઓના ભાષણોનું યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર સહિતના અન્ય માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

10 ફેબ્રુઆરીથી મતદાન

કોરોનાના વધતા જતા કેસોને જોતા ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી રેલી પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે 22 જાન્યુઆરી સુધી રોડ શોની પણ મંજૂરી નથી. જોકે હવે ચૂંટણી પંચે આમાં થોડી છૂટછાટ આપી છે. કારણ કે 10 ફેબ્રુઆરીથી જ પાંચ રાજ્યો યુપી, ઉત્તરાખંડ, મણિપુર, પંજાબ અને ગોવામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. યુપીમાં તમામ 403 વિધાનસભા બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે ચૂંટણી યોજાશે. 

પંજાબમાં 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે ઉત્તરાખંડમાં 70 વિધાનસભા બેઠકો અને ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. 10 માર્ચે મતગણતરી થશે અને તે જ દિવસે ચૂંટણી પરિણામો જાહેર થશે.

આ પણ વાંચો- Goa Election 2022: પંજાબ બાદ હવે ગોવાનો વારો, આમ આદમી પાર્ટી આજે રાજ્યમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરશે

આ પણ વાંચો- UP Assembly Election: BJP આજે 160 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે, CECની બેઠકમાં વાગશે મહોર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">