આ રાજ્યની શાળાઓમાં થશે રોજના ઓછામાં ઓછા 10 હજાર કોવિડ ટેસ્ટ
મુખ્ય સચિવે પણ જિલ્લાના નાયબ કમિશ્નરોને કહ્યુ કે તેઓ સુનિશ્ચિત કરે કે સંપૂર્ણપણે રસીકરણ કરાવી ચૂકેલા કર્મચારીઓને જ સ્કૂલ આવવાની પરવાનગી આપવામાં આવે.
પંજાબ (Punjab) સરકારે આદેશ આપ્યો કે રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામાં આવે. સરકારનો આ આદેશ ઓછામાં ઓછા 26 વિદ્યાર્થીઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા તે બાદ આવ્યો છે. મંગળવારે લુધિયાણાની બે સ્કૂલના 20 વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત હતા. જ્યારે બુધવારે હોશિયારપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના છ વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ હતા
પંજાબ સરકારે બે ઑગષ્ટથી તમામ શાળાઓ ખોલવાની પરવાનગી આપી છે. અહીં એક નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતા પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને નિર્દેશ આપ્યો કે રાજ્યની સ્કૂલમાં ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે.
નિવેદન પ્રમાણે મુખ્ય સચિવે પણ જિલ્લાના નાયબ કમિશ્નરોને કહ્યુ કે તેઓ સુનિશ્ચિત કરે કે સંપૂર્ણપણે રસીકરણ કરાવી ચૂકેલા કર્મચારીઓને જ સ્કૂલ આવવાની પરવાનગી આપવામાં આવે. સંલગ્ન વિભાગોને આરટી-પીસીઆરના નમૂનાની તપાસની સંખ્યા વધારવાનો નિર્દેશ આપતા મહાજને કહ્યુ કે રાજ્યમાં રોજના 40 હજાર નમૂનાઓની તપાસનુ લક્ષ્ય છે.જે ચોક્કસથી પૂર્ણ કરી લેવામાં આવશે
નિવેદન પ્રમાણે મહાજને અન્ય પાડોશી રાજ્યો કે જ્યાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેમની અવર જવર પણ પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તહેવારો પહેલા સંક્રમણના દર પર તેઓ નજર રાખે કારણ કે કોવિડ-19ના કેસમાં થતી વૃધ્ધિ રોકવા માટે સતર્કતા રાખવી ખૂબ જ જરુરી છે.
આ પણ વાંચો : PwC India આગામી 5 વર્ષમાં 10 હજાર લોકોને નોકરી આપશે, 1600 કરોડનું રોકાણ કરવાની કંપનીની યોજના