OBC વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે કરી મુલાકાત, NEET પરીક્ષામાં 27 ટકા અનામત માટે માન્યો આભાર
કેન્દ્ર સરકારે NEET પરીક્ષાઓમાં 27 ટકા OBC અનામત (OBC Reservation in NEET Exam) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે જ આ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો.
ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશનના વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ((Education Minister Dharmendra Pradhan) મળ્યા છે. કેન્દ્ર સરકારે NEET પરીક્ષાઓમાં 27 ટકા OBC અનામત (OBC Reservation in NEET Exam) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે જ આ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Education Minister Dharmendra Pradhan) જણાવ્યું કે ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશનના વિદ્યાર્થીઓ મળ્યા.
વિદ્યાર્થીઓએ NEET પરીક્ષાઓના ઓલ ઈન્ડિયા ક્વોટામાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવા અને ઓબીસી સમુદાયોને આદર, ન્યાય અને તક સુનિશ્ચિત કરવા માટે અને પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિબધ્ધતા માટે આભાર વ્યક્ત કર્યો.
કોવિડ -19 પ્રોટોકોલને પગલે 12 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં NEET (UG) 2021ની પરીક્ષા લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 સપ્ટેમ્બરે NEET પરીક્ષા દરમિયાન કોરોનાથી બચવાના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે સામાજિક અંતરના માપદંડો સુનિશ્ચિત કરવા માટે જ્યાં પરીક્ષાઓ યોજાશે તે શહેરોની સંખ્યા 155થી 198 કરી દેવામાં આવી છે.
આ પ્રથમ વખત છે જ્યારે એમબીબીએસ અને બીડીએસ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા 11 અન્ય ભાષાઓ સહિત પંજાબી અને મલયાલમમાં પણ લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET 2021 માટે વિદ્યાર્થીઓની પસંદગીના આધારે પરીક્ષા કેન્દ્ર વાળા શહેરની વ્યવસ્થા કરી રહી છે.
વિદ્યાર્થીઓની પસંદગીના પરીક્ષા સેન્ટર્સ
ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી પ્રાથમિકતાના આધારે પરીક્ષા માટે શહેરો ફાળવવામાં આવી રહ્યા છે. NEET પરીક્ષાના શહેરોમાં ભારતના તમામ શહેરોનો સમાવેશ થાય છે, જેમાં તબીબી પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.
આરક્ષણની ઉઠી હતી માગ
NEETમાં OBC માટે અનામતનો અમલ ન કરાતા સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ આ અંગે દેશવ્યાપી હડતાલની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. હવે સરકારે ઓબીસી માટે 27 ટકા અને મેડિકલ અભ્યાસક્રમો માટે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઈડબલ્યુએસ માટે 10 ટકા આરક્ષણ મંજૂર કર્યું છે.