ICSEએ ધોરણ 10ની પરિક્ષા રદ કરી, ધો.12ની પરિક્ષા હાલ પુરતી મુલતવી
દેશમાં કોરોના સંક્રમણના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આઇસીએસઇએ (ICSE) ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે.
ICSE ( Indian Certificate of Secondary Education) એ ભારતમાં વ્યાપક પ્રમાણમાં ભરડામાં લઈ ચૂકેલા કોરાનાને કારણે, ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જ્યારે ધોરણ 12ની પરિક્ષાઓ હાલ પુરતી મૌકુફ રાખવાની પણ જાહેરાત કરી છે.
દેશમાં આવેલી કોરોનાની સુનામીને કારણે, અનેક રાજ્યોએ તેમના બોર્ડની પરિક્ષાઓ મૌકુફ રાખવાની અથવા તો રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં આજે ઈન્ડિયન સર્ટીફિકેટ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ( ICSE ) પણ ધોરણ 10ની પરિક્ષા રદ કરવાની અને ધોરણ 12ની પરિક્ષા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં હાલ પુરતી મૌકુફ રાખવાની જાહેરાત કરી છે.
ICSE cancels class 10 board examinations, in the wake of #COVID19 situation. The status of exams for class 12 remains the same as the previous order – Class 12 Exam (offline) will be conducted at a later date. pic.twitter.com/59yD583ShL
— ANI (@ANI) April 20, 2021