Gujarat Board Class 12 Result : રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કર્યું, જાણો કેવી રીતે બનશે પરિણામ

Gujarat Board Class 12 Result : ગુજરાત સરકારે ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાના માળખાને અનુસરતા આ માળખું તૈયાર કર્યું છે.

Gujarat Board Class 12 Result : રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કર્યું, જાણો કેવી રીતે બનશે પરિણામ
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 9:46 PM

Gujarat Board Class 12 Result : રાજ્યમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તેમજ શિક્ષકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ સમાચાર આખરે સામે આવી ગયા છે. રાજ્યન શિક્ષણ બોર્ડ (GSEB)એ ધો.12 ના પરિણામ તૈયાર કરવાનું માળખું જાહેર કરી દીધું છે. આ માળખું CBSE બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓના પરિણામ માટે તૈયાર કરાયેલા માળખાને અનુરૂપ જ છે.

CBSE દ્વારા સુપ્રિમકોર્ટમાં ધોરણ-12 ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ રજૂ કરેલ છે. જેમાં ધોરણ-10, ધોરણ -11 અને ધોરણ-12 ના પરીક્ષાના પરિણામોને ધ્યાને લેવામાં આવેલ છે . CBSE દ્વારા ધોરણ-12 ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ અને રાજયની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ શિક્ષણવિદોની સમિતિ દ્વારા કરાયેલ ભલામણોનો રાજય સરકારે સ્વીકાર કરેલ છે.આ ભલામણોને આધારે GSEB રાજ્યમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ (Gujarat Board Class 12 Result) તૈયાર કરશે.

50:25:25 આધારે તૈયાર થશે પરિણામ GSEB ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (Gujarat Board Class 12 Result) 50:25:25 માળખાના આધારે બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાના માળખાને અનુસરતા આ માળખું તૈયાર કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

GSEB ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ  (Gujarat Board Class 12 Result) 50:25:25 માળખાના આધારે આ રીતે બનાવવામાં આવશે –

1) 50 ગુણ : ધોરણ-10 ના બોર્ડના વિષયવાર પરિણામના ( વિષયવાર મેળવેલ 70 ગુણ ) આધારે ધોરણ-12 ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન.

2) 25 ગુણ : ધોરણ-11 ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ-11 ની પ્રથમ સામાયિક કસોટી (50 ગુણ) અને દ્વિતીય સામાયિક કસોટી (50 ગુણ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન.

3) 25 ગુણ : શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલ ધોરણ-12 ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી (25 ગુણ) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન.

CBSE નું માળખું 30:30:40 CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ (CBSE Class 12 Board Exam Result) 30:30:40 ફોર્મ્યુલા ના આધારે પરિણામ બનાવશે. CBSE બોર્ડની 12માં ધોરણની માર્કશીટ તૈયાર કરવાને લઇને બનેલી 13 સભ્યોની સમિતીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે.

30:30:40 ફોર્મુલ્યા ના આધારે 30 ટકા ગુણ 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના લેવાશે, 30 ટકા ગુણ 11માં ધોરણના પાંચ વિષયના એવરેજ લેવામાં આવશે અને બાકી રહેલા 40 ટકા ગુણ ધોરણ 12 ની પ્રીબોર્ડ પરીક્ષાના પરિણામનો આધાર લઇ ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ બનાવવામાં આવશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">