શૈક્ષણિક સંસ્થાના નામે રજિસ્ટર વાહનોને એપ્રિલથી ડિસેમ્બરના ટેક્સમાં છૂટ આપવાની ગુજરાત સરકારની જાહેરાત
મુખ્યમંત્રી રુપાણીએ સોમવારે જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2017 પહેલા શાળા- કોલેજ કે શૈક્ષણિક સંસ્થાના નામ પર રજિસ્ટર થયેલા વાહનોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીના ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ટેક્સમાંથી છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી […]
મુખ્યમંત્રી રુપાણીએ સોમવારે જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2017 પહેલા શાળા- કોલેજ કે શૈક્ષણિક સંસ્થાના નામ પર રજિસ્ટર થયેલા વાહનોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલ 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીના ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ટેક્સમાંથી છૂટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. શૈક્ષણિકા સંસ્થાઓના સંચાલકોની રજૂઆત છે કે કોરોના વૈશ્લિક મહામારી દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી છે માટે ટેક્સમાંથી છૂટ આપવામાં આવે. જો કે જે બસનું રજિસ્ટ્રેશન માલિકના નામ પર 1 એપ્રિલ 2017 પહેલા થયું હશે તેમને એક સીટના આધારે વાર્ષિક 200 રુપિયા ટેક્સ લાગશે.જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે પહેલા એ ખાતરી કરવામાં આવશે બસનો કમર્શિયલ ઉપયોગ ન થયો હોવો જોઇએ અને તે ખાતરી કર્યા બાદ જ ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંક્રમણન કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ છેલ્લા 8-9 મહિનાથી બંધ છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે શૈક્ષણિક સંસ્થા બંધ રહેતા સંચાલકોને ટેક્સમાં છૂટ આપવામાં આવે અને તે રજૂઆતના આધારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.