GANDHINAGAR : વિદ્યા સહાયકોની ભરતી કયારે ? સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન

2021 જાન્યુઆરીમાં તત્કાલિન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 927 સહાયક પ્રધ્યાપકો અને 5700 સહાયક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક બનવા માંગતા ટેટ પાસ કરેલા અંદાજે 50000 ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગાર છે.

GANDHINAGAR : વિદ્યા સહાયકોની ભરતી કયારે ? સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન
GANDHINAGAR: When is the recruitment of Vidya Sahayaks? Protest at Satyagraha Camp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 2:58 PM

વિદ્યા સહાયકોની ભરતી ન થતા હવે ઉમેદવારો આંદોલનના માર્ગે ઉતરી આવ્યા છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ-2 પાસ ઉમેદવારો એકઠા થયા. જ્યાં તેમણે બેનર દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો. તેઓ પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. શિક્ષિત બેરોજગાર સંઘની આગેવાનીમાં એકઠા થયેલા ઉમેદવારોનું કહેવું છે કે- રાજ્યમાં 47 હજાર જેટલા ટેટ પાસે ઉમેદવારો બેરોજગાર છે. તેમની ભરતી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.. લેખિત અને રૂબરૂ મળીને પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી ભરતી ન થતાં હવે ધીરજ ખૂટી છે.

2018 પછી ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારોની ભરતી નથી કરાઇ. જેના વિરોધમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ પ્રદર્શન યોજ્યા હતા. જે મામલે પ્રદર્શનકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

કપરા કોરોના કાળમાં બેરોજગારી જ્યારે અતિશય વધી રહી છે, ત્યારે સરકારનું પ્રાથમિક શિક્ષણ વિભાગ વિદ્યાસહાયકની ભરતીને લઈને ઠંડુ વલણ અપનાવે છે. તેથી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની ધીરજની પણ પરીક્ષા લેવાય છે. અન્ય શિક્ષણ સંબંધિત ભરતી રાબેતા મુજબ ચાલી રહી છે ત્યારે આ ઉમેદવારોને સરકાર તરફથી ફક્ત આશ્વાસન મળતું રહ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2021 જાન્યુઆરીમાં તત્કાલિન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 927 સહાયક પ્રધ્યાપકો અને 5700 સહાયક શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક બનવા માંગતા ટેટ પાસ કરેલા અંદાજે 50000 ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી બેરોજગાર છે. ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી કરવા માટે ટેટ પાસ શિક્ષિત ઉમેદવારો 40 વખત શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી ચૂક્યા છે. હાલ પ્રાથમિક શાળામાં અંદાજે 9 હજાર જેટલી જગ્યાઓ ખાલી છતાં 3 વર્ષથી ભરતી બંધ રાખવામાં આવી છે.

ગત મહિનામાં સરકારે ભરતી અંગેના પ્રશ્નોને લઈને કરેલી સ્પષ્ટમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2018માં લેવાએલ TET-1ના કુલ 6 હજાર 341 પાસ ઉમેદવારો સામે ફક્ત 52 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે.તે સાથે 2017માં લેવાયેલી TET-2 ના કુલ 50 હજાર 755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3 હજાર 335 ઉમેદવારોને જ નિમણૂંક આપવામાં આવી છે.

9 થી 12ની શિક્ષણ સહાયક ભરતી, કોલેજમાં પ્રાધ્યાપક ભરતી અને ધોરણ 1 થી 8ની અન્ય માધ્યમ વિદ્યાસહાયક ભરતી હાલમાં જ કરવામાં આવી છે.પરંતુ ગુજરાતી માધ્યમની 3300 ની વિદ્યાસહાયક ભરતી હજુ મુલતવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">