છોટા ઉદેપુર : આમ કેવી રીતે ભણશે બાળકો ? જનીયારા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય

આ ગામમાં શાળાનું મકાન બનાવવાનું જ જાણે ભૂલાઇ ગયું છે. ભૂલી ગઈ એવું એટલા માટે કહેવું પડ્યું કે શાળા શરૂ થયે ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ શાળાના બાંધકામની શરૂઆત પણ કરવામાં નથી આવી

છોટા ઉદેપુર : આમ કેવી રીતે ભણશે બાળકો ? જનીયારા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:21 PM

કોરોનાકાળ બાદ સરકારે ઓફ લાઇન શિક્ષણ તો શરૂ કર્યું ,બાળકોના શિક્ષણની સરકારે ચિંતા છે સારી વાત છે, પરંતુ જ્યાં શાળાના મકાન જ નથી. ત્યાં બાળકો કેવી રીતે ભણશે તેની દરકાર સરકારે લીધી જ નથી. શિક્ષણના દાવાઓની પોલ ખોલતા વધુ એક પ્રાથમિક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે. જનીયારા પ્રાથમિક શાળાનું મકાન જ નથી, ગામના એક સજ્જનના ઘરની અડાળીમાં ચાલી રહી છે ધોરણ 1 થી 4ની શાળા.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના જનીયારા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય છે, વર્ષ 2018થી શરૂ થયેલી આ સરકારી પ્રાથમિક શાળા માટે આજદિન સુધી મકાન બાંધવામાં નથી આવ્યું. 1 થી 4 ધોરણ ના 56 વિદ્યાર્થીઓ માટે ગામના એક સજ્જને પોતાના મકાનની અડાળીમાં બેસાડવા સહમતિ આપી અને શાળાના બાળકો ઘરની અડાળીમાં બેસીને અભ્યાસ શરૂ કરી દીધો, બાળકોને પોતાના ઘરના ઓટલા ઉપર બેસાડવા સહમતિ આપી હતી.

પરંતુ, આ ગામમાં શાળાનું મકાન બનાવવાનું જ જાણે ભૂલાઇ ગયું છે. ભૂલી ગઈ એવું એટલા માટે કહેવું પડ્યું કે શાળા શરૂ થયે ત્રણ ત્રણ વર્ષ વીતવા છતાં હજુ શાળાના બાંધકામની શરૂઆત પણ કરવામાં નથી આવી ,ત્યારે ચોમાસામાં ચારે બાજુથી વરસતા વરસાદમાં અને હાલમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારે પણ નાના ભૂલકાઓ ખુલ્લામાં બેસી શિક્ષણ મેળવવા મજબૂર છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વિસ્તારમાં આદિવાસી ગરીબ બાળકો પાસે ગરમ કપડાં પણ નથી કે ઠંડીથી રક્ષણ મેળવી શકે. બીજીબાજુ અડાળીમાં ખુલ્લામાં બેસી ભણવું પડે છે. એક જ જગ્યાએ ચારે ચાર ધોરણના બાળકો કેવી રીતે બેસે અને બબ્બે શિક્ષકો દ્વારા પણ આ બાળકોને કેવી રીતે શિક્ષણ આપી શકાય ?? એટલું જ નહીં અડાળીમાં બકરા પણ બાંધવામાં આવે છે.

બાળકોના અભ્યાસને લઇને અવારનવાર મોટીમોટી વાતો થતી રહે છે. ત્યારે હવે શિક્ષણવિભાગ આ ગામની પ્રાથમિક શાળા પ્રત્યે કયારે ધ્યાન આપે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : ઓમિક્રોનના વધતા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું નિવેદન, સ્થિતિ ઉપર વૈજ્ઞાનિકોની નજર, વૈજ્ઞાનિકોના અભિગમના આધારે ભવિષ્યની રણનીતિ નક્કી થશે

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકા હવે યુવાઓ પર ફોકસ કરશે, સંપૂર્ણ રસીકરણ થયેલ કોલેજ કેમ્પસને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">