CBSE Board 10th Result 2021 : ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર કરવામાં આવશે, બોર્ડે જાહેરાત કરી
CBSE Board 10th Result 2021 Date: બોર્ડે વિદ્યાર્થીઓના સ્કોરકાર્ડ્સ બનાવવા માટે એક ટેબ્યુલેશન નીતિ (Tabulation policy) પણ તૈયાર કરી છે. આ નીતિ મુજબ, વિદ્યાર્થીઓને 20 નંબર ફાઇનલ ઇન્ટરનલ માર્કિંગના આધારે મળશે, જ્યારે આખા વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં તેમની કામગીરીના આધારે 80 નંબરો આપવામાં આવશે.
CBSE Board 10th Result 2021 Date: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શનિવાર 01 મેના રોજ જાહેરાત કરી કે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 20 જૂન સુધીમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. આ સાથે, વિદ્યાર્થીઓના સ્કોરની ગણતરી માટે નવી યોજના તૈયાર કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. દેશમાં રોગચાળાની પરિસ્થિતિને કારણે આ વર્ષે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા શાળાઓને 11 જૂન સુધીમાં ઇન્ટરનલ માર્કિંગ સ્કોર્સ અપલોડ કરવા પણ કહ્યું છે.
CBSE announces policy for the tabulation of marks for cancelled Class X board exams based on the internal assessment conducted by schools
— ANI (@ANI) May 1, 2021
બોર્ડે વિદ્યાર્થીઓના સ્કોરકાર્ડ્સ બનાવવા માટે એક ટેબ્યુલેશન નીતિ (Tabulation policy) પણ તૈયાર કરી છે. આ નીતિ મુજબ, વિદ્યાર્થીઓને ફાઇનલ ઇન્ટરનલ માર્કિંગના આધારે 20 નંબર મળશે, જ્યારે આખા વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં તેમની કામગીરીના આધારે 80 નંબરો આપવામાં આવશે. રદ થયેલી પરીક્ષાઓનો સ્કોર ટેબ્યુલેશન નીતિ (Tabulation policy) ના આધારે રહેશે.
CBSE ના પરીક્ષક નિયંત્રક સનમ ભારદ્વાજે કહ્યું, “શાળાઓએ ખાતરી કરવી જ જોઇએ કે તેઓ દ્વારા આપવામાં આવેલા સ્કોર્સ વિદ્યાર્થીઓના અગાઉના રેકોર્ડ મુજબ છે. અંતિમ પરિણામ માટે શાળાઓએ આચાર્યની આગેવાનીમાં આઠ સભ્યોની સમિતિની રચના કરવી પડશે.” તેમણે કહ્યું કે ” જે શાળાઓ અયોગ્ય અને મૂલ્યાંકન માટે પક્ષપાતી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ”
કેવી રીતે માર્કિંગ થશે
યુનિટ પરિક્ષા (Unit Test) ના 10 ગુણ (Marks) રહેશે, તો મિડ-ટર્મ (Mid-Term) ની પરીક્ષા 30 ગુણ આપવામાં આવશે, અને પૂર્વ-બોર્ડ પરીક્ષા (Pre-Board Examination) 40 ગુણ માટે, આમ કુલ 80 ગુણ થશે. CBSE ની હાલની નીતિ મુજબ બાકીના 20 ગુણ શાળાઓ દ્વારા કરવામાં આવેલા ફાઇનલ ઇનેટર્નલ માર્કિંગને આધારે આપવાના રહેશે.
આમ ધોરણ 10 CBSE બોર્ડનું પરિણામ 20 જૂન સુધીમાં એટલે જૂનના ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. નવી ટેબ્યુલેશન નીતિ (Tabulation policy) થી તૈયાર કરવામાં આવેલ પરિણામથી વિધ્યાર્થીઓને ફાયદો થવાનો છે. મહામારીમાં આ નીતિ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. CBSE ના પરીક્ષક નિયંત્રક સનમ ભારદ્વાજ પ્રમાણે વિધ્યાર્થીઓ માટે આ નીતિ (Tabulation policy) તેમની આવડત પર માર્કિંગ કરશે.
બીજી બાજુ, ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે અને શિક્ષણ મંત્રાલય પરિસ્થિતિની સમીક્ષા કરીને તાજી તારીખો નક્કી કરશે અને પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા જાહેરાત કરશે.