CAT 2020નું પરિણામ જાહેર અમદાવાદના આર્યવર્તે મેળવ્યા 99.99 પર્સેન્ટાઈલ
CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે.
CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે. CAT-2020માં અમદાવાદના આર્યવ્રતે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યો છે. 99.99 ટકા પર્સેન્ટાઈલ સાથે આર્યવર્તે ભારતમાં 10મો અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આઈઆઈએમ ઈન્દોર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે CAT-2020ની પરીક્ષામાં ભારતમાંથી 9 વિદ્યાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સમગ્ર દેશમાંથી કુલ 2 લાખ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના કારણે આ વખતે ગુજરાતમાંથી માત્ર 45 વિદ્યાર્થીઓ દ્વારા CAT-2020ની પરીક્ષા આપવામાં આવી હતી. જે આંકડો દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછો છે.
આ પણ વાંચો: રાજકોટના લોધિકામાં BJPના અભિવાદન કાર્યક્રમમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી