BHAVNAGAR : શાળાઓ શરુ કરો, ખાનગી શાળા સંચાલકોની જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત

ગુજરાતના અન્ય શહેરોની જેમ ભાવનગરમાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સરકાર શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપે.

BHAVNAGAR : શાળાઓ શરુ કરો, ખાનગી શાળા સંચાલકોની જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:00 PM

BHAVNAGAR :સમગ્ર ગુજરાતમાં હાલમાં કોરોના ધીરે ધીરે કાબુમાં થતો દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા અનેક વ્યવસાયો ને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરીઓ આપી છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતના અન્ય શહેરોની જેમ ભાવનગરમાં પણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરી હતી કે તાત્કાલિક સરકાર શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપે.

ભાવનગર શહેરમાં આવેલ કુલ 225 ખાનગી શાળાના સંચાલકો દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફીસે પહોંચી આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પૂલ સાહિતના વાણિજ્ય વ્યવસાયોને કોવિડી ગાઈડલાઈન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો ઘણા લાંબા સમયથી શાળાઓ શરૂ કરવા માટે માંગ કરી રહ્યા છે.

પરંતુ, હજી સુધી કોઈ કારણોસર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો નથી, ગુજરાતમાં કોરોના હવે કાબુમાં આવ્યો છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકોની માંગ ઉઠી છે કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓને તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી. તેવી રીતે સરકાર 9 થી 12 ની ખાનગી શાળાઓને શરૂ કરવાની મંજૂરી આપે તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વધુમાં શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તમામ શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ગયા છે. જેથી વિદ્યાર્થીઓ માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષિત છે, જેથી સરકારે તાત્કાલિકના ધોરણે ખાનગી શાળાઓને મંજૂરી આપી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી,

ભાવનગર શહેરની વાત કરીએ તો કુલ 225 ખાનગી શાળાઓ આવેલ છે. જેમાં કુલ 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આગામી સમયમાં શાળા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં નહીં આવે તો શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">