Ahmedabad: અભ્યાસ માટે સરકારી શાળાનું વધ્યુ ચલણ, 12 દિવસમાં 16 હજાર વિધાર્થીઓએ સરકારી શાળામાં લીધું એડમિશન
Ahmedabad : એક સમય એવો હતો જ્યારે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં(Private School) મુકવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે સરકારી શાળાઓ (government school) આધુનિક બનતા તેમજ શિક્ષણ સ્તર સુધરતા સરકારી શાળાઓમાં એડમીશન લઇ રહ્યા છે.
Ahmedabad : એક સમય એવો હતો જ્યારે વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં (Private School) મુકવાનું પસંદ કરતા હતા. પરંતુ હવે સરકારી શાળાઓ (government school) આધુનિક બનતા તેમજ શિક્ષણ સ્તર સુધરતા સરકારી શાળાઓમાં બાળકો મોટી સંખ્યામાં એડમીશન લઇ રહ્યા છે.
12 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં 16000 નવા વિધાર્થીઓએ એડમીશન લીધુ છે. તો ધોરણ 2 થી 8 સુધીમાં ખાનગી શાળામાંથી 1200 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે તો અમદાવાદ મહાનગરપાલિકા સંચાલીત અંગ્રેજી માધ્યમની શાળાઓમા વેઇટીંગ પણ ચાલી રહ્યુ છે.
છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓમા શિક્ષણની ગુણવતા તેમજ શાળામાં મળતી સુવિધામાં વધારો કરવાથી એક સારુ પરિણામ એ આવ્યુ છે કે વિધાર્થીઓ હવે સરકારી શાળામાં એડમીશન લઇ રહ્યા છે તો કેટલાક વિધાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારીમાં એડમીશન લઇ રહ્યા છે.
આ માટેનું એક કારણ કોરોનાને કારણે લોકોની નબળી પડેલી આર્થિક સ્થિતિ પણ હોઇ શકે પરંતુ. એ હકીકત છે કે હાલ સરકારી શાળાની બોલબાલા વધી છે. તારીખ સાત જુનથી 19 જુન સુધી 16000 વિધાર્થીઓએ એડમીશન લીધુ છે અને તેમાં પણ અંગ્રેજી માધ્યમ શાળાઓ મોટા ભાગે ફૂલ થઈ ગઈ છે જેના કારણે એડમિશન માટે વેઇટિંગ પણ વધ્યું છે.
શહેરમાં અમદાવાદ સ્કુલ બોર્ડ સંચાલિત કુલ 468 શાળાઓ છે જે પૈકી જેમાં 37 અંગ્રેજી માધ્યમ જ્યારે 64 હિન્દી માધ્યમની શાળા છે તો 468 શાળાઓમાં કુલ 4 હજાર શિક્ષક ફરજ બજાવે છે. જેમાં 25 શિક્ષક પીએચડી થયેલ છે જેનાથી શિક્ષણનું સ્તર સુધર્યું હોવાથી પણ એડમિશન વધ્યાંનું અધિકારી જણાવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે 2018- 19 માં 14 હજાર. 2019 -20 માં 15 હજાર તો 2020 – 21 માં 18 હજાર બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ કર્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે 25 હજાર આંકડો પહોંચે તેવું અધિકારીઓ માની રહ્યા છે. તો ધોરણ 2 થી 8 માં 12 દિવસમાં 1200 બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા હોવાનું નોંધાયું છે, તો સાથે જ શહેરના ઇન્દ્રપુરી-કાલુપુર -સરદાર પટેલ પબ્લીક સ્કુલ જેવી શાળાઓમા વેઇટીંગ ચાલી રહયા હોવાનું પણ સામે આવ્યું છે.
એટલું જ નહીં પણ અમદાવાદ સ્કુલ બોર્ડ દ્વારા શહેરમાં 10 નવી સ્માર્ટ શાળા બનાવાઈ છે જેમાં 5 નું લોકાર્પણ થઈ ગયું છે તો 5નું બાકી છે. જે ટૂંક સમયમાં લોકાર્પણ કરી દેવાશે તો વધૂ નવી 25 સ્માર્ટ શાળા પણ બનાવાનો લક્ષ્યાંક છે. જોકે કોરોનાને કારણે કામગીરી અટકી પડી હતી જે ફરી પૂર્વવત કરી શાળા બનાવાની ખાતરી અધિકારીએ આપી છે.
જેથી વાલી અને વિદ્યાર્થીઓને નવી શાળા સાથે નવો ઓપશન મળી રહે. મહત્વનું છે કે એવા અનેક લોકો છે જેઓ સરકારી શાળામા ભણ્યા છે અને આજે મોટા હોદા પર છે. ત્યારે આશા રાખીએ કે ફરી સરકારી શાળામા ભણવાનો ગ્રાફ વધે અને આવી શાળાઓ દ્વારા તેજસ્વી તારલા બહાર આવે.