ભારતીય ગુજરાતીઓએ લોસ એન્જલિસની સેરીટોસ કોલેજના લાભાર્થે 42 લાખ ડૉલરનું કર્યું દાન

લોસ એન્જલિસ (Los Angeles)ની સેરિટોસ કોલેજ (Cerritos College)માં મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ભારતીય ગુજરાતીઓએ લોસ એન્જલિસની સેરીટોસ કોલેજના લાભાર્થે 42 લાખ ડૉલરનું કર્યું દાન
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Mar 27, 2021 | 12:09 AM

લોસ એન્જલિસ (Los Angeles)ની સેરિટોસ કોલેજ (Cerritos College)માં મોટી સંખ્યામાં ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓની અભ્યાસ અને કૌશલ્ય વૃધ્ધિ માટે 17 નવા વિભાગો શરૂ થવાના છે અને તે માટે નવું સંકુલ પણ આકાર લઈ રહ્યું છે. આ માટે અહીં વસતા ગુજરાતીઓએ દાનની સરવાણી વહાવી છે.

સેરીટોસ કોલેજ માટે કુલ 42 લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઓ દ્વારા એકત્ર થયું

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગુજરાતીઓએ સ્થાપેલા સેરીટોસ કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે 32 લાખ ડોલરનું દાન એકત્ર કરવામાં આવ્યું છે. જ્યારે એક ગુજરાતી ડોક્ટર દંપતીઓ દ્વારા 10 લાખ ડોલરની માતબર રકમનું દાન કરાયું છે. સેરીટોસ કોલેજ માટે કુલ 42 લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઓ દ્વારા એકત્ર થયું છે. સેરિટોસ કોલેજ અમેરિકાની પ્રસિદ્ધ કોલેજો પૈકીમાં એક છે.

અમેરિકાના લોસ એન્જલિસથી વીસ માઈલ દૂર આવેલા સેરિટોસ સિટીમાં આવેલી સેરિટોસ કોલેજ, અમેરિકન વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવાની બાબતમાં 8મી રેન્ક ધરાવે છે. સાથે અમેરિકાની 25 કોમ્યુનિટી કોલેજોમાં 9મું સ્થાન ધરાવે છે. કોલેજમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.

ઋણ સ્વીકાર માટે તાજેતરમાં ઝૂમ એપ પર બેઠક યોજાઈ

ભારતીય ગુજરાતીઓ દ્વારા કોલેજને મળેલા ભંડોળના ઋણ સ્વીકાર માટે તાજેતરમાં ઝૂમ એપ પર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોલેજના પ્રેસિડન્ટ ડૉ. જાસ ફિરો, સિટી ઓફ સેરિટોસના મેયર નરેશ સોલંકી, કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ પરિમલ શાહ, ફાઉન્ડેશન કમિટીના ડાયરેક્ટર તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, જૈન સોશિયલ ગૃપના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર વોરા તથા ડૉ. જસવંત મોદીએ ભાગ લીધો હતો. સેરિટોસ સિટીના મેયર નરેશ સોલંકીએ સ્થાનિક સમાજના ઉત્કર્ષ માટે ઉદારતા દર્શાવવા બદલ તબીબ દંપતી ડો. જસવંત મોદી તથા ડો. મીરા મોદી, ડો. હર્ષદ શાહ તથા ડો. રક્ષા શાહને અભિનંદન આપ્યા હતા.

સેરીટોસ કોલેજ ફાઉન્ડેશન પ્રેસિડન્ટ પરિમલ શાહ અને કમિટી ડાયરેક્ટર યોગી પટેલે ફાઉન્ડેશનની પ્રવૃતિનો ચિતાર રજૂ કર્યો હતો. આ તબક્કે ફાઉન્ડેશન પ્રમુખ પરિમલ શાહે દાતા તબીબ દંપતીઓ અને ફાઉન્ડેશનના સદકાર્યથી માત્ર ભારતીય અમેરિકનો જ નહીં, સ્થાનિક લોકો અને કોલેજો તથા શૈક્ષણિક કાર્યક્રમોને લાભ થશે.

ફાઉન્ડેશનના ડાયરેક્ટર લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે 32 લાખ ડોલરથી વધુનું ભંડોળ એકત્ર થયું છે. જેનાથી હાલ અભ્યાસ કરતા અને નવા પ્રવેશનાર વિદ્યાર્થીઓને એમની કારકિર્દી અને ભવિષ્યના ઘડતરમાં ઉપકારક રહેશે.

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે ‘હાથી મેરે સાથી’ના રિલીઝ પર રોક લગાવનો કર્યો ઈનકાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">