જીંદગીની પરીક્ષામાં ‘મોત’ પણ સરકારી પરીક્ષામાં પહેલા નંબરે ‘પાસ’ ! વાંચો બે કેદીની પાસીંગ સ્ટોરી
મીડિયા અહેવાલો અનુસાર સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 12 જિલ્લા જેલોમાંથી કુલ 103 કેદીઓએ 10મા ધોરણની પરીક્ષા આપી હતી જેમાંથી 95 કેદીઓએ 92.23 ટકાએ પરીક્ષાએ પાસ કરી છે.
યુપી બોર્ડ હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિયેટનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. યુપી બોર્ડ 10માં કુલ 88.82% વિદ્યાર્થીઓ પાસ થયા છે. તે જ સમયે, ધોરણ 12 માં કુલ 85.33 ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. પરિણામ જાહેર થયા પછી દરેક જગ્યાએ બે કેદીઓની ચર્ચા થઈ રહી છે. ગુનામાં દોષિત પુરવાર થયા બાદ જેલના સળિયા પાછળ રહેલા બે કેદીઓએ યુપી બોર્ડની પરીક્ષા(Borad Exam) પાસ કરી છે. આ કેદીઓએ બોર્ડની પરીક્ષાઓ પાસ કરી એટલું જ નહીં પણ શાનદાર પ્રદર્શન પણ કર્યું. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના શાહજહાંપુરની અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવનાર મનોજ યાદવે યુપી બોર્ડ હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી છે.
મર્ડરના બે આરોપીઓ પાસ થયા
મનોજ પર કલાનના નિકુરા ગામના રહેવાસી રામવીરના પુત્ર અનમોલને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. મનોજને 24 નવેમ્બર 2021ના રોજ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. તેણે જેલની બેરેકમાં રહીને પરીક્ષા પાસ કરી છે. આ સિવાય એક હત્યાના ગુનેગાર અને અંડરટ્રાયલ કેદીએ પણ પરીક્ષા પાસ કરી છે. સજા સંભળાવતા પહેલા જ મનોજે જેલમાંથી જ ધોરણ 10નું ફોર્મ ભર્યું હતું પરંતુ ફાંસીની સજા થતાં તેણે અભ્યાસ છોડી દીધો હતો.
જામીન પર બહાર આવ્યા બાદ યુપી બોર્ડની 12મીની પરીક્ષા પાસ કરી
હત્યાના ગુનામાં વિચારણા હેઠળના કેદી અમન સિંહે ઇન્ટરમીડિયેટની પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું. અમને બીજા વિભાગમાં 50.4 ટકા માર્ક્સ મેળવીને પરીક્ષા પાસ કરી છે. જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે અમનને 18 ડિસેમ્બર 2021ના રોજ જામીન પર છોડવામાં આવ્યો હતો. છૂટ્યા પછી તે સેન્ટ્રલ જેલ બરેલીમાં જઈ પરીક્ષા આપીહતી.
કેદીઓનું પરિણામ સારું આવ્યું
મીડિયા અહેવાલો અનુસાર સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 12 જિલ્લા જેલોમાંથી કુલ 103 કેદીઓએ 10મા ધોરણની પરીક્ષા આપી હતી જેમાંથી 95 કેદીઓએ 92.23 ટકાએ પરીક્ષાએ પાસ કરી છે અને 16 જિલ્લાના 96 કેદીઓએ પરીક્ષા આપી હતી. જેલમાં 96 કેદીઓએ પરીક્ષા માટે અરજી આપી હતી જેમાંથી 68 કેદીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 70.83 ટકા સાથે પરીક્ષા પાસ કરી છે.
યુપી બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ બાદ હવે સ્ક્રૂટિની ફોર્મને લઈને નોટિસ જારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું હતું. જો યુપી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ પછી કોઈપણ બાળક અસંતુષ્ટ હશે તો તેને બોર્ડ તરફથી બીજી તક મળશે.