દિવાળી: ઘરની સાફ સફાઈ કરતી વખતે રાખો આ ધ્યાન, નહીં રહે વાસ્તુદોષ!
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો આ તહેવાર પહેલાં જ પોતાના ઘરની સાફ સફાઈ કરાવી લે છે. આ વખતે 27 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. જાણીશું કઈ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ પેદા કરી શકે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો આ તહેવાર પહેલાં જ પોતાના ઘરની સાફ સફાઈ કરાવી લે છે. આ વખતે 27 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે. જાણીશું કઈ વસ્તુઓ ઘરમાં વાસ્તુદોષ પેદા કરી શકે અને તેનું નિવારણ કેવી રીતે લાવવું?
આ પણ વાંચો : 9 સરળ સ્ટેપ્સમાં ઘેર બેઠા EPF ની રકમ કરો ઓનલાઇન ટ્રાન્સફર! જુઓ VIDEO
દિવાળીના દિવસે ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવતી હોય છે. એવું માનવામાં આવે છે કે જેમનું ઘર સાફ હોય તેમને ત્યાં આવીને માતાજી આર્શીવાદ આપે છે. જે ઘરમાં સાફ-સફાઈ રાખવામાં આવી ન હોય તે ઘરમાં માતાજીનો વાસ થતો નથી. જેના લીધે અમુક વસ્તુઓ ઘરમાં સાફ-સફાઈ કરતી વખતે હટાવી દેવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જે વાસણો તૂટી ગયા હોય તેનો પ્રયોગ કરવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તૂટેલા વાસણોમાં ખાવાનું પીરસવાથી ગરીબીમાં પણ વધારો થાય છે અને સાથે વાસ્તુદોષ પણ ઉત્પન્ન થાય છે. તૂટેલાં કાચ હોય તો તેને પણ ઘરમાંથી બહાર ફેંકી દેવો જોઈએ. તૂટેલાં કાચને અશુભ માનવામાં આવે છે. આમ તૂટેલાં કાચ, અરીસાનો પણ નિકાલ કરવો જોઈએ.
આની સાથે જો કોઈ ભગવાનની ખંડિત મૂર્તિ હોય તો તેનું પણ વિર્સજન કરી દેવું જોઈએ. વિર્સજન ના કરી શકાય તો તેને ઘરની બહાર પવિત્ર સ્થાન પર મુકવી જોઈએ. જો ઘરના સદસ્યોનો કોઈ ફોટો કે તસ્વીર પરનો કાચ તૂટી ગયો હોય તો તેને પણ બદલવો જોઈએ. એવી માન્યતા છે કે બંધ ઘડિયાળ ઘરનો વિકાસ રોકે છે જેના લીધે ઘડિયાળને રિપેર કરાવી લેવી જોઈએ. આમ આ વાતનું ધ્યાન રાખવાથી વાસ્તુદોષ નહીં રહે અને ઘરમાં સમુદ્ધી અને શાંતિ આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]