Wheat Production: વૈશ્વિક કટોકટી વચ્ચે આ વર્ષે ભારતમાં કેટલું થશે ઘઉંનું ઉત્પાદન, સામાન્ય લોકો પર શું થશે તેની અસર

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2021-22 દરમિયાન ઘઉંનું કુલ ઉત્પાદન (Wheat Production) 106.41 મિલિયન ટન થવાનો અંદાજ છે.

Wheat Production: વૈશ્વિક કટોકટી વચ્ચે આ વર્ષે ભારતમાં કેટલું થશે ઘઉંનું ઉત્પાદન, સામાન્ય લોકો પર શું થશે તેની અસર
Wheat Price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 6:57 PM

વૈશ્વિક ઘઉંના (Wheat) સંકટ વચ્ચે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વર્ષે ઘઉંનું ઉત્પાદન (Wheat Production) પહેલાથી જ કરવામાં આવેલા અંદાજ કરતાં ઘણું ઓછું રહેશે. પરંતુ, હવે કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે ઉત્પાદનમાં માત્ર 36 લાખ ટનનો જ ઘટાડો થશે. આવી સ્થિતિમાં જનતાએ ઘઉંની ચિંતા કરવાની જરૂર નથી. સરકારે મુખ્ય કૃષિ પાકોનો ત્રીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2021-22 દરમિયાન ઘઉંનું કુલ ઉત્પાદન 106.41 મિલિયન ટન થવાનો અંદાજ છે. જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ 103.88 મિલિયન ટન ઉત્પાદન કરતાં 2.53 મિલિયન ટન વધુ છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 110 મિલિયન ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

પ્રશ્ન એ છે કે ઉત્પાદન કેમ ઘટ્યું? હકીકતમાં, આ વર્ષે માર્ચમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગરમીના મોજાને કારણે ઘઉંના દાણા સંપૂર્ણ રીતે પાક્યા નહોતા અને સુકાઈ ગયા હતા. જેના કારણે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે. ઉત્પાદનમાં ઘટાડા અને વધુ નિકાસને કારણે દેશની તમામ મંડીઓમાં ઘઉંની કિંમત લઘુત્તમ ટેકાના ભાવ (રૂ. 2015 પ્રતિ ક્વિન્ટલ) કરતાં રૂ. 500થી વધુ છે.

ભારતે કેટલા ઘઉંની નિકાસ કરી?

વિશ્વના બે મુખ્ય ઘઉં ઉત્પાદક દેશો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતને તેના વેચાણ માટે એક નવું આંતરરાષ્ટ્રીય બજાર મળ્યું. જેના કારણે ભારતે રેકોર્ડ ઘઉંની નિકાસ કરી હતી. 2019-20માં માત્ર 2.17 લાખ મેટ્રિક ટનની નિકાસ કરી હતી, 2021-22માં 72.15 લાખ મેટ્રિક ટનની નિકાસ કરવામાં આવી હતી. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે એપ્રિલ 2022માં જ લગભગ 11 લાખ મેટ્રિક ટનની નિકાસ કરવામાં આવી છે અને 40 લાખ ટન મોકલવાનો કરાર પણ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ઉત્પાદન કેટલું થયું?

દરમિયાન, ઉત્પાદનમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા નવા આંકડાએ સ્પષ્ટ કરી દીધું છે કે ખરેખર ઘઉંનું ઉત્પાદન કેટલું થશે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2019-20માં 107.86 મિલિયન અને 2020-21માં 109.59 મિલિયન ઘઉંનું ઉત્પાદન થયું હતું. જ્યારે આ વર્ષે 106.41 મિલિયન ટન થવાનો અંદાજ છે. ઉત્પાદનનું મૂલ્યાંકન રાજ્યો પાસેથી મળેલા ડેટા પર આધારિત છે. અન્ય સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ માહિતી સાથે આની ચકાસણી કરવામાં આવી છે.

અનાજનું કુલ ઉત્પાદન કેટલું થશે?

મુખ્ય કૃષિ પાકોના ઉત્પાદનના ત્રીજા આગોતરા અંદાજ મુજબ, કુલ ખાદ્યાન્ન ઉત્પાદન 314.51 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે 2020-21 દરમિયાન ખાદ્યાન્ન ઉત્પાદન કરતાં 3.77 મિલિયન ટન વધુ છે. 2021-22 દરમિયાન ખાદ્યાન્નનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષ (2016-17 થી 2020-21)ના સરેરાશ ખાદ્યાન્ન કરતાં 23.80 મિલિયન ટન વધુ છે. ચોખા, મકાઈ, કઠોળ, તેલીબિયાં, ચણા, સરસવ અને શેરડીના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">