Onion Price : ખેડૂતોની ચેતવણી – પરિસ્થિતિ નહીં સુધરે તો ડુંગળીના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી થશે

મહારાષ્ટ્ર ઓનિયન પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ભરત દિઘોલે કહે છે કે-પાંચ વર્ષ પહેલા પણ ખેડૂતોને ડુંગળીનો ભાવ (Onion Price) 10 રૂપિયા પ્રતિ કિલોથી ઓછો મળતો હતો અને આજે પણ તે જ ભાવ મળી રહ્યો છે. જ્યારે ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

Onion Price : ખેડૂતોની ચેતવણી - પરિસ્થિતિ નહીં સુધરે તો ડુંગળીના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી થશે
onion_price
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 9:17 AM

લાંબા સમયથી પરેશાન મહારાષ્ટ્રના ડુંગળી ખેડૂતોને થોડી રાહત મળી છે. કેટલીક મોટી મંડીઓમાં ડુંગળીના ભાવમાં (Onion Price) થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ હજુ પણ ખર્ચને પહોંચી વળવા પુરતો ભાવ મળતો નથી. ખેડૂતોનું કહેવું છે કે, જો ડુંગળી માત્ર એકથી પાંચ-છ રૂપિયા કિલોના ભાવે વેચાતી રહેશે તો ખેડૂતો તેની ખેતી છોડી અન્ય પાક અપનાવશે અને તે ગ્રાહકો માટે ઘાતક સાબિત થશે. મહારાષ્ટ્ર કાંદા ઉત્પાદક સંગઠનના પ્રમુખ ભરત દિઘોલે કહે છે કે, જો મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઓછું થશે તો દેશમાં ડુંગળીની આયાત કરવી પડશે. તેની કિંમતમાં જોરદાર વધારો થશે અને તે 200 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેથી ડુંગળીના ઉત્પાદન ખર્ચના (Onion Production Cost) હિસાબે સરકારે તેના ભાવ અંગે વહેલી તકે મહત્વનો નિર્ણય લેવો જોઈએ.

મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. દેશની 40 ટકા ડુંગળીનું ઉત્પાદન અહીં થાય છે. અહીં નાસિકના લાસલગાંવમાં એશિયાનું સૌથી મોટું ડુંગળીનું બજાર છે. જ્યાં 1 જૂને ડુંગળીના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. અહીં લઘુત્તમ ભાવ 601 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે મહત્તમ દર રૂપિયા 1408 અને સરેરાશ દર રૂપિયા 1051 પ્રતિ ક્વિન્ટલ હતો. તેવી જ રીતે, નિફાડમાં લઘુત્તમ ભાવ 450 રૂપિયા હતો. અહીં મહત્તમ દર 1201 અને સરેરાશ ભાવ 1071 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

જ્યાં સૌથી વધુ ભાવ છે, ત્યાં શું સ્થિતિ છે?

અન્ય મંડીઓની સરખામણીએ પિંપળગાંવમાં ડુંગળીના ભાવ સામાન્ય રીતે વધુ હોય છે. કારણ કે અહીં ડુંગળીની ગુણવત્તા અલગ છે. અહીં 1 જૂને લઘુત્તમ ભાવ 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે મહત્તમ ભાવ રૂ.1611 અને સરેરાશ ભાવ રૂ.1250 પ્રતિ ક્વિન્ટલ હતા. સાયખેડા મંડીમાં લઘુત્તમ ભાવ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. મહત્તમ ભાવ 1301 રૂપિયા હતો જ્યારે સરેરાશ દર 1100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

પાંચ વર્ષ પહેલા જેટલો જ મળી રહ્યો છે ડુંગળીનો ભાવ

મહારાષ્ટ્ર ઓનિયન પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ભરત દિખોલે કહે છે કે-પાંચ વર્ષ પહેલા પણ ખેડૂતોને ડુંગળીના ભાવ 10 રૂપિયા પ્રતિ કિલોથી ઓછા મળતા હતા અને આજે પણ તે જ ભાવ મળી રહ્યા છે. જ્યારે પાક ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ખેડૂતોને ભાવ મળવાનું શરૂ થાય છે, ત્યારે સરકાર તેને ઘટાડવાના પ્રયાસો શરૂ કરે છે, પરંતુ હવે જ્યારે માત્ર 50 પૈસા, 75 પૈસા, 1 રૂપિયો અને 2-3 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવે છે ત્યારે ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા કોઈ આવતું નથી.

ડુંગળીને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ લાવવી જોઈએ

દિઘોલે કહે છે કે-દર વર્ષે દર એકસરખો રહેશે ત્યારે ખેડૂતો ડુંગળીની ખેતી (Onion Farming) કરવાનું બંધ કરી દેશે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડો થશે. પછી તેલીબિયાં પાકોની જેમ ડુંગળીની પણ આયાત કરવી પડશે. પછી અનુમાન કરો કે તેની કિંમત કેટલી હશે. ડુંગળીની ખેતી અનાજના પાક કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. આવી સ્થિતિમાં, સરકારે ડુંગળીની ખેતીના ખર્ચમાં 50 ટકા નફો ઉમેરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરવા જોઈએ. અન્યથા આ રીતે ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો પાયમાલ થઈ જશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">