દેશમાં ખેડૂતો માટે યુરિયાની કોઈ અછત નહીં થાય, ઓગસ્ટથી સિંદરીમાં ઉત્પાદન શરૂ થશે

Sindri Fertilizer Factory: ઝારખંડના ધનબાદ જિલ્લામાં સ્થિત સિંદ્રી ફર્ટિલાઇઝર ફેક્ટરી ટૂંક સમયમાં તેની સંપૂર્ણ ક્ષમતા સાથે નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન શરૂ કરશે. જુલાઈના અંતથી ઉત્પાદન શરૂ થશે અને ઓગસ્ટ મહિના સુધીમાં પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કરશે.

દેશમાં ખેડૂતો માટે યુરિયાની કોઈ અછત નહીં થાય, ઓગસ્ટથી સિંદરીમાં ઉત્પાદન શરૂ થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 8:31 AM

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) ગુજરાતમાં નેનો યુરિયા (Urea)પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતો માટે યુરિયાની કોઈ અછત નહીં થાય. આ માટે ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં બંધ પડેલા ખાતરના (Fertilizers Factory) કારખાનાઓને ફરીથી ખોલવામાં આવશે અને તેમાં ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ પછી હવે સમાચાર આવી રહ્યા છે કે ઓગસ્ટ મહિનામાં આ પ્લાન્ટમાંથી યુરિયાનું ઉત્પાદન પૂર્ણ ક્ષમતાથી શરૂ થઈ જશે. સિંદરી ફર્ટિલાઇઝર ફેક્ટરી હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (HUCL) કંપની દ્વારા સંચાલિત છે. કંપનીના અધિકારીઓએ આ માહિતી આપી છે.

હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના જનરલ કામેશ્વર ઝાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે પ્લાન્ટના તમામ મશીનોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તબક્કાવાર ઉત્પાદન શરૂ કરવામાં આવે. જુલાઇના અંત સુધીમાં ઉત્પાદન શરૂ થશે, ત્યારબાદ ઓગસ્ટમાં ઉત્પાદન પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થશે. નોંધનીય છે કે પ્લાન્ટમાંથી પ્રતિદિન 3850 નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન પૂર્ણ ક્ષમતાથી કરવામાં આવશે.

20 વર્ષ પછી ફરીથી ઉત્પાદન કરવામાં આવશે

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું ઉદ્ઘાટન કરી શકે છે. નોંધનીય છે કે 5 સપ્ટેમ્બર 2002ના રોજ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન સિંદરી ખાતરની ફેક્ટરી બંધ થઈ ગઈ હતી. તેના બરાબર 20 વર્ષ બાદ ફરીથી ફેક્ટરીનું ઉદ્ઘાટન થશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલું યુનિટ ખોટને કારણે બંધ થઈ ગયું હતું. સિંદરીએ ખાતરના કારખાનાથી દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હવે યુરિયાની અછત નથી.

સિંદરીના આ એકમમાં વર્ષ 1951માં યુરિયાનું ઉત્પાદન શરૂ થયું હતું. તે સમયે આ પ્લાન્ટનું સંચાલન ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું. પૂર્વ ભારતમાં FCI દ્વારા સંચાલિત તે એકમાત્ર યુરિયા ફેક્ટરી હતી જ્યાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. તેના બંધ થયા પછી, પૂર્વ ભારતના રાજ્યોમાં યુરિયાની તીવ્ર અછત હતી. કારણ કે તમામ આઠ ફેક્ટરીઓ બંધ હતી. યુરિયાની અછતને કારણે દેશના યુરિયાના વપરાશને પહોંચી વળવા ઉંચી કિંમતે યુરિયાની આયાત કરવી પડી હતી. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગોરખપુર, સિંદરી અને બરૌનીમાં બંધ યુરિયા ફેક્ટરીઓને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી હતી. દરેક પ્લાન્ટ શરૂ કરવા માટે રૂ. 6000 કરોડની રકમ મંજૂર કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">