PM Kisan Yojana: ઈ-કેવાયસીની સમયમર્યાદા પુર્ણ, હવે ખેડૂતો 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જાણો ક્યારે આવશે પૈસા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM kisan Samman Nidhi Yojana) એક કલ્યાણકારી યોજના છે, જેના હેઠળ દેશના ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હપ્તામાં પૈસા આપવામાં આવે છે.
સરકારનું લક્ષ્ય દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું અને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનું છે. જેના કારણે કેન્દ્રની મોદી સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેનો લાભ ખેડૂતો (Farmers)ને પણ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM kisan Samman Nidhi Yojana)પણ આવી જ એક કલ્યાણકારી યોજના છે, જેના હેઠળ દેશના ખેડૂતોને આર્થિક મદદ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હપ્તામાં પૈસા આપવામાં આવે છે. ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા મળે છે.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે. તેમને હપ્તા દીઠ રૂ. 2000 આપવામાં આવે છે. આ રીતે ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા મળે છે. આ રકમથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. પીએમ કિસાનની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે, જે ખેડૂતોને આર્થિક ટેકો આપે છે. યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં 11મા હપ્તાની રકમ મળી છે. હવે ખેડૂતો 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા 31 મેના રોજ પીએમ કિસાન યોજનાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
e-KYCની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે
પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો માટે હવે ઇ-કેવાયસી કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે, ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ સુધી રાખવામાં આવી હતી, જે હવે પસાર થઈ ગઈ છે, તેથી જે ખેડૂતોએ તેમનું e-KYC કરાવ્યું નથી, તેમના 12મા હપ્તાના નાણાં ફસાઈ શકે છે. ડેડલાઈન પૂરી થઈ ગઈ હોવાથી આ અંગે અત્યારે કંઈ કહી શકાય નહીં. જો કે, જે ખેડૂતોએ અત્યાર સુધી ઇ-કેવાયસી કર્યું નથી, તેમના પૈસા અટકી શકે છે, કારણ કે સરકારે આ યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી કરવું ફરજિયાત બનાવ્યું હતું.
12મા હપ્તાની રકમ આ મહિને મળી શકે છે
સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની વચ્ચે પીએમ કિસાન હેઠળ મળેલી રકમનો 12મો હપ્તો ખેડૂતો મેળવી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો જણાવે છે કે આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ પૈસાથી ખેડૂતો જરૂરિયાતના સમયે ખેતી કરવા માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદે છે. ખેડૂતો કહે છે કે તેમને આ પૈસા એવા સમયે મળે છે જ્યારે ખેતી માટે પૈસાની જરૂર હોય છે. પૈસા મળવાને કારણે ખેડૂતોને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી.