Success Story: ઓર્ગેનિક શાકભાજીથી લાખોની કમાણી કરતો ખેડૂત, વોટ્સએપ બન્યો મોટો આધાર

Success Story: બુરહાનપુરનો ખેડૂત વોટ્સએપ (Whatsapp) ગ્રુપ દ્વારા ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટિંગ કરીને સારી કમાણી કરી રહ્યો છે. 1 એકર ખેતરમાં એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને નફો 4થી 5 લાખ રૂપિયા સુધીનો હોય છે.

Success Story: ઓર્ગેનિક શાકભાજીથી લાખોની કમાણી કરતો ખેડૂત, વોટ્સએપ બન્યો મોટો આધાર
Gopal Singh Rathore, a successful farmer of Burhanpur.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 9:41 AM

ગામડાના લોકો રોજગારી માટે શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે આવા સમયે જો કોઈ નોકરી (Job) છોડીને ખેતી તરફ પાછા ફરે તો કોઈના માટે નવાઈની વાત હશે. હા, આજે અમે તમને એવા જ એક વ્યક્તિનો પરિચય આપી રહ્યા છીએ. જેઓ પોતાની નોકરી છોડીને આધુનિક રીતે શાકભાજીની ઓર્ગેનિક ખેતી (Organic Farming) કરીને લાખો રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. વોટ્સએપ તેમના માર્કેટિંગમાં મોટો આધાર બની ગયો છે. બુરહાનપુર (Madhya Pradesh)ના અબડા ગામના રહેવાસી ગોપાલ સિંહ રાઠોડ સફળ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની યાદીમાં સામેલ થયા છે. આજકાલ રસાયણ મુક્ત ખેતીની ખૂબ ચર્ચા થાય છે. જેમાં આવા ખેડૂતોના કારણે મધ્યપ્રદેશ નંબર વન છે.

રાઠોડ કહે છે કે, તે શાકભાજીનું પેકેજ બનાવે છે જે એક અઠવાડિયા સુધી ચાલે છે અને તેને તેના વોટ્સએપ ગ્રુપ પર અપડેટ કરે છે. ઓર્ડર મુજબ ઓર્ગેનિક શાકભાજી સીધા જ લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. રાઠોડની 1 એકર ખેતીની જમીનમાં એક લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને નફો 4થી 5 લાખ રૂપિયા સુધીનો હોય છે.

નોકરી છોડી

ગોપાલ કોમર્સથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. જે બાદ ગોપાલ મહારાષ્ટ્રની એક ખાનગી એગ્રીકલ્ચર કોલેજમાં નોકરી કરવા લાગ્યો. નોકરી દરમિયાન ગોપાલ એગ્રીકલ્ચર કોલેજમાં ખેતીના તમામ પ્રોજેક્ટને નજીકથી જોતો હતો, ત્યારપછી તેની જીજ્ઞાસા અને રસ ખેતી તરફ વધતો ગયો. પછી તેણે નોકરી છોડીને ખેતી કરવાનું મન બનાવી લીધું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જૈવિક ખેતી કેવી રીતે શરૂ કરવી

શરૂઆતમાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા. તેથી જ રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકોનો વધારે ઉપયોગ થતો હતો. પરંતુ તેમની ખેતીમાં નવીનતા ત્યારે આવી જ્યારે તેમના એક સંબંધી બીમાર પડ્યા અને તેમને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાંના તબીબોએ જણાવ્યું કે, તેના સંબંધીને કેન્સર જેવી જીવલેણ બીમારી લાગી છે. આ પછી તેણે કેમિકલ વડે ફળો અને શાકભાજી ઉગાડવાનું બંધ કરી દીધું. અહીંથી તેણે ઓર્ગેનિક ખેતી શરૂ કરી.

જૈવિક ખેતીનું સારું પરિણામ

રાઠોડે જણાવ્યું કે, જ્યારે ઓર્ગેનિક ખેતીના સારા પરિણામો મળવા લાગ્યા, ત્યારપછી તેમનો ઉત્સાહ વધતો ગયો. ઓર્ગેનિક ઉત્પાદનોના ભાવ પણ વધુ પડતા હતા. તેથી જ તેણે પાછું વળીને જોયું નથી. દર વર્ષે વિવિધ પાકો રસાયણ મુક્ત ખેતી સાથે સંકળાયેલા છે. આજે તેઓ કુલ 18 એકર જમીનમાં કેપ્સિકમ, તરબૂચ, ટામેટા, દૂધી, રીંગણ અને કેળા જેવા પાકની ખેતી કરે છે.

અડધા એકરમાં તૈયાર કર્યું પોલીહાઉસ

ગોપાલ કહે છે કે, જ્યારે તે ઓર્ગેનિક ખેતી શરૂ કરી રહ્યો હતો ત્યારે તેને પહેલા અને બીજા વર્ષમાં ઓછી ઉપજ મળી હતી. પરંતુ તે પછી ઉત્પાદન વધવા લાગ્યું. ત્યારબાદ તેણે પ્રોડક્ટના માર્કેટિંગ માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું. પરિણામે, લોકો ઓર્ગેનિક ખેતીના ફાયદા સમજવા લાગ્યા. તેના ઉત્પાદનોની સારી કિંમત મળવા લાગી. ખેતીને હાઇટેક બનાવવા માટે તેણે 12 લાખ રૂપિયા ખર્ચીને અડધા એકરમાં પોલીહાઉસ બનાવ્યું.

કેટલું થયું ઉત્પાદન

પોલીહાઉસમાં શાકભાજીની ખેતી માટે સૂક્ષ્મ સિંચાઈ ટપકનો ઉપયોગ કરીને કેપ્સીકમના બીજની વાવણી કરી. અત્યારે તેમના કેપ્સિકમના પાકને 70 દિવસ થયા છે, જેના કારણે તેમને 10 ટનની ઉપજ મળી છે. તેઓ લગભગ છ મહિનાના કેપ્સિકમ પાકમાંથી 50 ટન ઉત્પાદન મેળવશે. રાઠોડ તેમના પાકના અવશેષો અને કચરો વગેરેનો ઉપયોગ જૈવિક ખાતર અને જંતુનાશક બનાવવા માટે કરે છે. જેને પાકમાં નાખવાથી છોડનો ઝડપથી વિકાસ થાય છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">