શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર, ખેતીની આ નવી પદ્ધતિ અપનાવવાથી આવક વધશે, સરકાર આપશે નાણાકીય સહાય

સરકાર શાકભાજીમાં વાંસ અને લોખંડનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને (Farmers) 50 થી 90 ટકા સબસિડી આપી રહી છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર, ખેતીની આ નવી પદ્ધતિ અપનાવવાથી આવક વધશે, સરકાર આપશે નાણાકીય સહાય
Stacking Method Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 2:57 PM

જો તમે શાકભાજીની ખેતી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. જો તમે શાકભાજીને સડવાથી બચાવવા અને તેનું ઉત્પાદન વધારવા માંગતા હો, તો તમે સ્ટેકીંગ પદ્ધતિનો (Stacking Method) ઉપયોગ કરી શકો છો. આ માટે સરકાર રૂ. 1.25 લાખ સુધીની નાણાકીય સહાય પણ આપશે. એટલે કે સ્ટેકિંગ સ્કીમ ખેડૂતો (Farmers) માટે નફાકારક સોદો છે. હરિયાણા સરકાર શાકભાજીમાં વાંસ અને લોખંડનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને 50 થી 90 ટકા સબસિડી આપી રહી છે. આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ બાગાયત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. હાઇટેક અને અત્યાધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી ઉભરી રહી છે. જેનાથી ખેડૂતોને અનેક લાભો મળી રહ્યા છે.

શાકભાજીની ખેતીમાં સ્ટેકિંગ એ એક એવી પદ્ધતિનું નામ છે, જેને અપનાવીને ખેડૂતો સારો નફો કમાઈ રહ્યા છે. આ પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો વાંસની મદદથી તાર અને દોરડાની જાળી બનાવે છે. તેના પર છોડના વેલા ફેલાય છે. જેના કારણે કારેલા, તુવેર, મરચા, રીંગણ અને ટામેટા સહિત અનેક શાકભાજીની સારી ખેતી કરી શકાય છે. તે ઉચ્ચ ઉપજ ધરાવે છે. નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે નફો વધે છે. તેથી, સરકાર વાંસના સ્ટેકિંગ અને લોખંડના સ્ટેકિંગ પર અલગ-અલગ ગ્રાન્ટ આપે છે.

કોને કેટલી સહાય મળશે?

વાંસની સ્ટેકિંગની કિંમત 62 હજાર 500 રૂપિયા છે તો પ્રતિ એકર 31,250 રૂપિયાથી 56,250 રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. લોખંડ સ્ટેકીંગની કિંમત 1.41 લાખ રૂપિયા પ્રતિ એકર છે, તેથી તેના પર 70,500 રૂપિયાથી લઈને 1.26 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. વાંસના સ્ટેકીંગ અને લોખંડના સ્ટેકીંગ પર મહત્તમ અનુદાન વિસ્તાર 1 થી 2.5 એકર છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્ટેકિંગ ટેક્નોલોજીનો ફાયદો શું છે?

જિલ્લા બાગાયત અધિકારી ડો. રમેશ કુમારે જણાવ્યું હતું કે અગાઉ ખેડૂતો જૂની ટેકનોલોજીથી શાકભાજી અને ફળોની ખેતી કરતા હતા. પરંતુ હવે ખેડૂતો સ્કેટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. કારણ કે આ ટેકનિક ખૂબ જ સરળ છે. આ ટેકનિકમાં બહુ ઓછી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તાર અને દોરડાની જાળી વાંસ અને લોખંડની મદદથી બનાવવામાં આવે છે અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિથી શાકભાજીની ઉપજ પણ વધી રહી છે. વેલાવાળા છોડ ફળનું વજન સહન કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, સ્ટેકિંગ પદ્ધતિ છોડને ઘણો ટેકો આપે છે. આ પદ્ધતિથી ફળ સારા રહે છે. તે ભેજની સ્થિતિમાં સડતા નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">