Soil Testing Benefits: માટીના 75 લાખ નમૂનાનું પરિક્ષણ કરાશે, તેનાથી ખેતી ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે

સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા ખેડૂતને (Farmers) તેના ખેતરની જમીનમાં ઉપલબ્ધ વિવિધ પોષક તત્વોની માહિતી મળશે. તદનુસાર, ખેતરમાં ખાતર નાખવાની ભલામણ કરવામાં આવશે.

Soil Testing Benefits: માટીના 75 લાખ નમૂનાનું પરિક્ષણ કરાશે, તેનાથી ખેતી ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે
Soil TestingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 2:40 PM

હર ખેત-હર સ્વસ્થ ખેત અભિયાન હેઠળ હરિયાણાના 140 બ્લોકની ખેતીલાયક જમીનમાંથી 75 લાખ માટીના નમૂના લેવામાં આવશે. આ રીતે 75 લાખ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડનું (Soil Health Card) વિતરણ કરવામાં આવશે. આ માહિતી હરિયાણામાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. સુમિતા મિશ્રાએ આપી છે. સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા ખેડૂતને (Farmers) તેના ખેતરની જમીનમાં ઉપલબ્ધ વિવિધ પોષક તત્વોની માહિતી મળશે. તદનુસાર, ખેતરમાં ખાતર નાખવાની ભલામણ કરવામાં આવશે. આ લક્ષ્ય 4 વર્ષમાં પૂર્ણ થશે. ખાસ વાત એ છે કે ખેડૂત સોઈલ હેલ્થ કાર્ડ વિભાગની વેબસાઇટ પરથી તેનો ફોન નંબર અથવા મેરી ફસલ મેરા બ્યોરાનો રજીસ્ટ્રેશન નંબર નાખીને ડાઉનલોડ કરી શકાય છે.

ડૉ. સુમિતા મિશ્રાએ હર ખેત સ્વસ્થ ખેત પોર્ટલ લોન્ચ કર્યું. આ દરમિયાન, તેમણે માટીના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણ પર એક પુસ્તકનું વિમોચન પણ કર્યું. તેમણે કહ્યું કે આ પોર્ટલ પર લેવામાં આવતા માટીના નમૂનાઓ નોંધવામાં આવશે. નોંધણી સમયે, ખેડૂતને એક SMS આવશે, જે જણાવશે કે તમારા ખેતરની માટીના નમૂના માટી પરીક્ષણ માટે કઈ પ્રયોગશાળામાં મોકલવામાં આવી છે. આ પહેલથી ખેડૂતો તેમના ખેતરોમાં તે જ ખાતર નાખશે જેની જરૂર છે. આ રીતે ખર્ચમાં બચત થશે અને ઉત્પાદન સારું રહેશે.

ખેડૂતો કુદરતી ખેતી અપનાવીને તેમની આવક બમણી કરી શકે

બીજી તરફ કૃષિ મંત્રીએ પણ જમીનને ફળદ્રુપ બનાવવા સંબંધિત પહેલ કરી છે. તેમણે ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સરકાર દ્વારા ખેડૂતોને તમામ શક્ય મદદ કરવામાં આવશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવવી જોઈએ અને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ન કરવો જોઈએ. ખેડૂતો કુદરતી ખેતી અપનાવીને તેમની આવક બમણી કરી શકે છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

સોલાર ફેન્સીંગ માટે સરકાર મદદ કરશે

કૃષિ મંત્રીએ કહ્યું કે વિસ્તારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવાનો તેમનો પ્રયાસ છે જેથી કરીને લોકો તેનો મહત્તમ લાભ લઈ શકે. તેમણે કહ્યું કે ખેતીને નુકસાન કરતા પ્રાણીઓની સમસ્યાના નિરાકરણ માટે ટૂંક સમયમાં સોલાર ફેન્સીંગનું આયોજન કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતરની આસપાસ સોલાર ફેન્સીંગ કરવા માટે સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત ભૂમિ સંરક્ષણ અને જળસંગ્રહને લગતા કામો જેવા કે ચેકડેમ અને પાણીની ટાંકીઓના નિર્માણ માટે વધારાનું બજેટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">