Red Potato Farming: લાલ બટાકાની ખેતીથી ખેડૂતો કરી શકે છે લાખોમાં કમાણી, જાણો તેની ખેતી વિશે
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે બટાટાના વપરાશ માટે તેઓએ અન્ય રાજ્યોની કંપનીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેઓ તેને બજારમાં વેચીને મોટો નફો કમાઈ રહ્યા છે. ચાલો જાણીએ કેવી રીતે લાલ બટાટાની ખેતી થાય છે.
ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી અને સરસવની ખેતી કરીને ખેડૂતો સારો નફો કમાય છે, પરંતુ જો ખેડૂતો કંઈક અલગ કરવા માંગતા હોય તો તેઓ લાલ બટાકાની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે. રાજસ્થાનમાં ખેડૂતોએ બટાકાની આ જાતની ખેતી શરૂ કરી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે બટાટાના વપરાશ માટે તેઓએ અન્ય રાજ્યોની કંપનીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેઓ તેને બજારમાં વેચીને મોટો નફો કમાઈ રહ્યા છે.
આ પણ વાંચો: PM Kisan: પીએમ કિસાન યોજનાની રકમ વધશે કે નહીં કૃષિ પ્રધાને કરી સ્પષ્ટતા
ઉજ્જડ જમીનને બનાવી ફળદ્રુપ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના ભૂતગાંવમાં દિનેશ માલી લાલ બટાકાની ખેતી કરે છે. આ પ્રગતિશીલ ખેડૂતના જણાવ્યું અનુસાર તેની પાસે લગભગ 80 વીઘા જમીન છે અને તેમાંથી અડધી જમીન પડતર પડી હતી, પરંતુ ઘણી મહેનત અને સંશોધન બાદ તેણે જમીનને ફળદ્રુપ બનાવી અને તેમાં લાલ બટાકાની ખેતી શરૂ કરી.
ગુજરાતમાંથી લાવવામાં આવ્યા બટાકા
બટાકાની વાવણી કરતા પહેલા તેમને પ્રશ્ન હતો કે કયો પાક વાવવો, જેથી તેની ઉપજ સારી થઈ શકે. તેમણે ઓનલાઈન જઈને અને કૃષિ વિભાગને આ અંગેની માહિતી એકઠી કરી હતી. પછી તેને લાલ બટાટા વિશે ખબર પડી અને ગુજરાતમાંથી તેના બીજ લાવીને તેણે વાવેતર કર્યુ.
બટાકાની ચિપ્સ
બટાકાની કટિંગ ગુજરાતમાંથી લાવવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં તેના વપરાશ માટેની યોજના પણ બનાવવામાં આવી છે. નવેમ્બરમાં વાવ્યા પછી આ પાક લગભગ 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. આમાંથી બનેલી પોટેટો ચિપ્સની બજારમાં સારી માગ છે.
હૃદય રોગ, કેન્સર નિવારણ
નિષ્ણાતો કહે છે કે લાલ બટેટા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હૃદયના રોગોને ઘટાડવાની સાથે સાથે તે આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ બચાવે છે. તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે અને ફાઈબર ખૂબ સારી માત્રામાં જોવા મળે છે.
વાવણી કરવાની સાચી રીત
કૃષિ વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બટાકાની વાવણી કરતી વખતે, હંમેશા તેમની વચ્ચેનું અંતર ધ્યાનમાં રાખો. જેના કારણે છોડને પ્રકાશ, પાણી અને પોષક તત્વો સરળતાથી મળે છે. નિષ્ણાતોના મતે, બટાકાની બે ક્યારી વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 50 સેમી અને બે છોડ વચ્ચેનું અંતર 20-25 સેમી હોવું જોઈએ.
બટાકાના છોડ જમીનના ઉપરના સ્તરોમાં ઉગે છે, તેથી વાવેતર પછી આ પાકને પ્રથમ પિયત આપવું જોઈએ. સામાન્ય રીતે 6 થી 8 દિવસના અંતરે પાણી આપવું જોઈએ. પાકની વૃદ્ધિ પૂર્ણ થયા બાદ પિયત આપવાનું ઓછું કરવું જોઈએ.