જાણો દ્રાક્ષમાંથી કિસમિસ કેવી રીતે બને છે, ખેડૂતો 1 કિલો પર 300 રૂપિયા સુધીની કરી શકે છે કમાણી

જો હવામાન અનુકૂળ હોય તો દ્રાક્ષને 12-15 દિવસમાં કિસમિસમાં ફેરવી શકાય છે. તમે દ્રાક્ષમાંથી બનેલી કિસમિસને 250 થી 300 રૂપિયા કિલો સુધી વેચીને કમાણી કરી શકો છો.

જાણો દ્રાક્ષમાંથી કિસમિસ કેવી રીતે બને છે, ખેડૂતો 1 કિલો પર 300 રૂપિયા સુધીની કરી શકે છે કમાણી
દ્રાક્ષની ખેતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 6:55 PM

ફળોની ખેતી હોય કે ફૂલોની ખેતી, કોરોનાના (Corona) કારણે ખેડૂતોને (Farmers) નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને પોતાની ઉપજનું નિકાસ કરતા ખેડૂતોને વધારે મુશ્કેલી થઈ છે. કોરોનાથી દ્રાક્ષની (Grapes) ખેતીને પણ વધારે નુકશાન થયું છે. દેશના ખેડૂતો નિકાસ કરવા માટે કાળી દ્રાક્ષની ખેતી કરે છે. આ વખતે પણ આ કર્યું, પરંતુ કોરોનાએ બધા દરવાજા બંધ કર્યા.

દ્રાક્ષ ખેતરોમાંથી તો બહાર નીકળી પરંતુ બજારમાં પહોંચી નહીં. જો પહોંચી તો પણ ફેંકી દેવાના ભાવે તેનું વેચાણ થયું. પુણેમાં રહેતા યુવાન ખેડૂત રોહિત ચવ્હાણના જણાવ્યા મુજબ નિકાસ માટે કાળી દ્રાક્ષની માગ યુરોપમાં વધારે રહે છે. યુરોપમાં દ્રાક્ષની કિંમત 110 રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ કોરોનાના કારણે નિકાસમાં સમસ્યાઓ ઉભી થઈ હતી. દેશના બજારોમાં સારી માગ નહોતી, તેથી 20 રૂપિયામાં વેચવાની ફરજ પડી હતી.

રોહિતે પુણેમાં દ્રાક્ષના રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની મદદ લીધી અને દ્રાક્ષને કિસમિસમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે શીખ્યા. જો હવામાન અનુકૂળ હોય તો દ્રાક્ષને 12-15 દિવસમાં કિસમિસમાં ફેરવી શકાય છે. જો તમને તેમાં સફળતા મળે છે, તો તમે દ્રાક્ષમાંથી બનેલી કિસમિસને 250 થી 300 રૂપિયા કિલો સુધી વેચીને કમાણી કરી શકો છો. અનુકૂળ હવામાન સાથે, એક વિશેષ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ પદ્ધતિથી કોઈપણ ખેડૂત દ્રાક્ષને કિસમિસમાં ફેરવી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દ્રાક્ષમાંથી કિસમિસ બનાવવા માટે, એક લિટર પાણીમાં 15 મિલી. ઇથાઈલ ઓલિયટ અને 25 ગ્રામ પોટેશિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે છે. આ પાણી દ્રાક્ષ પર છાંટવામાં આવે છે. જો એક એકરમાં દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે, તો પછી 150 લિટર પાણીમાં 2.25 લિટર ઇથાઈલ ઓલિયટ અને 3.75 કિલો પોટેશિયમ કાર્બોનેટનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે.

બે-ત્રણ દિવસ બાદ આ મિશ્રણને ફરીથી છાંટવામાં આવે છે. જો તમે બીજી વખત છંટકાવ કરો છો, તો પાણીમાં ઓછું કેમિકલ ઉમેરો. ઉદાહરણ તરીકે, 1.65 લિટર ઇથાઈલ ઓલિયટ અને 2.70 કિલો પોટેશિયમ કાર્બોનેટને 150 લિટર પાણી સાથે મીક્ષ કરી મિશ્રણ બનાવો.

દ્રાક્ષ પર ઇથાઈલ ઓલિયટ અને પોટેશિયમ કાર્બોનેટનો છંટકાવ 12 થી 14 દિવસમાં દ્રાક્ષમાંથી 16 ટકા જેટલો ભેજ દૂર કરે છે અને કિસમિસમાં ફેરવે છે. એટલે કે 12-14 દિવસમાં, તમે દ્રાક્ષને કિસમિસ તરીકે વેચી શકો છો. તેનો દર પ્રતિ કિલો 250 થી 300 રૂપિયા સુધીનો હોઈ શકે છે. કોરોનાને કારણે, જે ખેડૂતોએ તેમના દ્રાક્ષનું વેચાણ સારી રીતે કર્યું ન હતું, તેઓ હવે કિસમિસ વેચીને સારી કમાણી કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">