PM Kisan: જો તમે ખેડૂત તરીકે ખોટી રીતે આ યોજનાનો લીધો હશે લાભ તો વધી શકે છે મુશ્કેલી, અયોગ્ય ખેડૂતોને ફટકારવવામાં આવી નોટિસ
PM Kisan Yojana: અત્યાર સુધીમાં 6,100 અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. આ 6,100 અયોગ્ય ખેડૂતોમાંથી 3,200 ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ ભરતા હતા અને 2,900 ખેડૂતો એવા છે કે જેઓ જમીનવિહોણા તેમજ અન્ય કારણોસર અયોગ્ય જાહેર થયા છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PM Kisan Samman Nidhi) 11મા હપ્તાની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 31મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મો હપ્તો (PM Kisan 11th Installment) રિલીઝ કરશે. પરંતુ તે પહેલા અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હકીકતમાં આ યોજનાનો લાભ લેનાર અયોગ્ય ખેડૂતોના નાણાં પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોને નિયત સમયમાં મળેલી રકમ પરત કરવા જણાવાયું છે. જિલ્લામાં 8 લાખથી વધુ ખેડૂતો છે, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 6.52 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવી રહ્યો છે. પરંતુ હવે કૃષિ વિભાગે ખેડૂતોની છટણી શરૂ કરી છે. કેટલાક અયોગ્ય ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ જમા કરાવી રહ્યા છે. આ તમામ અયોગ્ય ખેડૂતોને નિયત સમયમાં PM કિસાનની રકમ પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
આ મામલે નાયબ કૃષિ નિયામક અરવિંદ મોહનનું કહેવું છે કે અત્યાર સુધી જિલ્લામાં 6 લાખ 52 હજાર ખેડૂતો સન્માન નિધિ યોજનાનો લાભ લેતા હતા અને હવે અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6,100 અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. આ 6,100 અયોગ્ય ખેડૂતોમાંથી 3,200 ખેડૂતો એવા છે જેઓ આવકવેરો પણ ભરતા હતા અને 2,900 ખેડૂતો એવા છે કે જેઓ જમીનવિહોણા તેમજ અન્ય કારણોસર અયોગ્ય જાહેર થયા છે. આ તમામ ખેડૂતોને હવે સરકાર દ્વારા આપવામાં આવેલ કિસાન સન્માન નિધિ પરત કરવી પડશે. જે ખેડૂતો પરત નહીં કરે તેમની પાસેથી વસૂલાત માટે પણ કાર્યવાહી થઈ શકે છે. નોટિસ મોકલાયા બાદ હવે અયોગ્ય ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
5 લાખ 54 હજાર રૂપિયા વસૂલવામાં આવશે
આ અયોગ્ય ખેડૂતો પાસેથી લગભગ 5 લાખ 54 હજાર રૂપિયા વસૂલવાના છે. નાયબ નિયામક કૃષિ અરવિંદ મોહને જણાવ્યું હતું કે આ તમામ અયોગ્ય ખેડૂતોને નોટિસ મોકલીને વસૂલાત કરવાની રહેશે અને તમામને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે કિસાન સન્માન નિધિના પૈસા નાયબ નિયામક કૃષિના બેંક ખાતામાં પાછા જમા કરાવવામાં આવે. ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર પણ કહે છે કે આ ખેડૂતોની ઓળખ પહેલાથી જ હતી. અન્ય અયોગ્ય ખેડૂતોની છટણી પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં અન્ય અયોગ્ય ખેડૂતોની ઓળખ કરવામાં આવશે. નાયબ નિયામકે વાતચીતમાં જણાવ્યું હતું કે જે ખેડૂતો સન્માન નિધિ માટે અયોગ્ય છે, તેઓએ જાતે જ પૈસા પરત કરવા જોઈએ, અન્યથા જો તપાસમાં કોઈ ખેડૂત દોષિત ઠરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.