PM Kisan: આવતા મહિને 13મો હપ્તો થઈ શકે છે રિલીઝ, જલ્દી પૂર્ણ કરી લો આ કામ
જે ખેડૂતોએ યોજના માટે અરજી કરી નથી. તેઓએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાને નોંધણી કરાવવી પડશે. જો તેઓ તેને ઓનલાઈન કરી શકતા નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અને યોજના માટે અરજી કરી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ડિસેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે જે ખેડૂતોએ યોજના માટે અરજી કરી નથી. તેઓએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાને નોંધણી કરાવવી પડશે. જો તેઓ તેને ઓનલાઈન કરી શકતા નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અને યોજના માટે અરજી કરી શકે છે.
ખાસ વાત એ છે કે નોંધણી સમયે તમારી પાસે જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, બેંકની વિગતો, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે. જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે, તો તમે સરળતાથી ઘરે બેઠા આ યોજનામાં તમારું નામ નોંધાવી શકો છો.
આ રીતે નોંધણી કરો
- પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો http://pmkisan.gov.in/
- ‘ફાર્મર્સ કોર્નર’ પર તમને ‘નવો નોંધણી વિકલ્પ’ મળશે, તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે.
- હવે ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણી પસંદ કરો.
- પછી તમારો આધાર નંબર, મોબાઈલ નંબર અને સ્ટેટ લખો.
- પછી Get OTP પર ક્લિક કરો
- હવે બાકીની વિગતો જેમ કે સરનામું, જન્મ તારીખ, ખસરા નંબર વગેરે ભરો.
- તમામ વિગતો સબમિટ કરો
જરૂરી દસ્તાવેજોની યાદી
- ખેડૂતોની માલિકીની જમીનની વિગતો (પાત્ર લાભાર્થીઓ)
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- બેંક ખાતાની વિગતો
એક મીડિયા અહેવાલ મુજબ, યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થીઓએ તેમનું ઇ-કેવાયસી પૂર્ણ કરવું પણ જરૂરી છે. લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા તેઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. ખેડૂતો ઈ-કેવાયસી ઓનલાઈન પણ પૂર્ણ કરી શકે છે. પરંતુ આ માટે તેઓએ નજીકના CSC અથવા વસુધા કેન્દ્રને પર જવુ પડશે. અહીં બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા e-KYC અપડેટ કરવા માટે 15 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
ઈ-કેવાયસી લાભાર્થીઓ તેમના મોબાઈલ નંબર પરથી OTP દ્વારા PM કિસાન વેબસાઈટ સાથે તેમના આધારને લિંક કરી શકે છે અથવા નજીકના CSC/વસુધા કેન્દ્રમાંથી બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ-KYC કરી શકે છે જેના માટે તેમણે 15 રૂપિયા ચૂકવવા પડશે. ઇ-કેવાયસી સબમિટ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી, તેમ છતાં તમામ ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે તે પૂર્ણ કરવું પડશે.
ઇ-કેવાયસી કેવી રીતે અપડેટ કરવું
- પીએમ કિસાન વેબસાઇટ ખોલો.
- ફાર્મર્સ કોર્નર પર PM કિસાન e-KYC લિંક પર ક્લિક કરો.
- આપેલી જગ્યામાં તમારો આધાર નંબર દાખલ કરો.
- કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો.
- હવે તમારો મોબાઈલ નંબર અને તમારા મોબાઈલ ફોન પર મળેલ OTP દાખલ કરો.
- છેલ્લે, સબમિટ ફોર ઓથ પર ક્લિક કરો.
- જો બધી વિગતો મેળ ખાતી હોય તો તમારું PM કિસાન e-KYC સફળ થશે.