PM Fasal Bima Yojana : આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઝડપથી રજીસ્ટ્રેશન કરાવે, છેલ્લી તારીખ છે 31 જુલાઈ

PMFBY : ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર જ યોજનામાં જોડાવું પડશે.

PM Fasal Bima Yojana : આ યોજનાનો લાભ લેવા ખેડૂતો ઝડપથી રજીસ્ટ્રેશન કરાવે, છેલ્લી તારીખ છે 31 જુલાઈ
પાક વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 2:36 PM

ખરીફ સીઝનના (Kharif Season) પાક જેવા કે ડાંગર, મકાઈ, બાજરી, કપાસ વગેરે માટે પાક વીમો (Crop Insurance) લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે. એટલે હવે તેના માટે તમારી પાસે ફક્ત થોડા દિવસ જ બાકી છે. ધ્યાનમાં રાખો કે છેલ્લી તારીખ માટે ભલે એક મહિનો બાકી છે, પરંતુ તમારે પાક વાવણીના 10 દિવસની અંદર યોજનામાં જોડાવું પડશે.

મહત્વની વાત એ છે કે સરકારે હવે પીએમ ફસલ બીમા યોજનાને (PM Fasal Bima Yojana) સ્વૈચ્છિક બનાવી છે. જો તમે ઇચ્છો તો જ તેનો લાભ આપવામાં આવશે, જ્યારે પહેલા આ પ્રકારે નહોતું. ખાસ કરીને જે ખેડૂતો (Farmers) કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ધરાવતા હતા તઓને તેમાં ફરજીયાત સામેલ કરવામાં આવતા હતા અને તેમની લોનની રકમમાંથી પ્રીમિયમ કાપવામાં આવતું હતું. તમારે 24 જુલાઈ સુધીમાં બેંકને કહેવું પડશે કે તમારે પાક વીમાની જરૂર નથી. આ માટે બેંક તમારી પાસેથી લેખિત અરજી લેશે.

જો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) હેઠળ ખેતી માટે લોન લેતા ખેડૂત યોજનાનો લાભ લેવા માંગતા નથી અને તેની જાણ બેંકને અરજી દ્વારા નહીં કરે, તો બેંક ખેડૂતના પાકનો વીમો લેવા માટે અધિકૃત રહેશે. જે ખેડૂતોએ સરકારી લોન લીધેલ નથી તેઓએ ગ્રાહક સેવા કેન્દ્ર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી તેમના પાકનો વીમો કરાવી શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

જો તમે પહેલાથી જ આયોજન કરેલા પાકને બદલવા માંગતા હોય તો તે પણ શક્ય છે. ખેડૂતે પાકની બદલી માટે બેંકને છેલ્લા તારીખના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં એટલે કે 29 જુલાઇ સુધીમાં જાણ કરવાની રહેશે. આ યોજનાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ અધિકારીઓ અને સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે.

વીમા કંપનીઓએ ખેડૂતોની મદદ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ તેમના કર્મચારીઓની નિમણૂક કરી છે. યોજના અંતર્ગત ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિઓની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે યોજનાની શરૂઆત (13 જાન્યુઆરી 2016) થી ડિસેમ્બર -2020 સુધીમાં, ખેડૂતોએ લગભગ 19 હજાર કરોડ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યું, જેના બદલામાં તેમને લગભગ દાવાના રૂપમાં 90 હજાર કરોડ રૂપિયા મળ્યા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">