ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે, વિશ્વના બજારોમાં જૈવિક કૃષિ ઉત્પાદનોની માગ વધી

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં કુલ રૂ. 7078.5 કરોડની ઓર્ગેનિક કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી.

ઓર્ગેનિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો થશે, વિશ્વના બજારોમાં જૈવિક કૃષિ ઉત્પાદનોની માગ વધી
Organic Products
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 5:15 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓર્ગેનિક ખેતી (Organic Farming) પર ભાર આપી રહ્યા છે કારણ કે તેનાથી જમીનની ફળદ્રુપતા તો વધશે જ અને ખેતીનો ખર્ચ પણ ઘટશે. ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે પણ તે એક સારો માર્ગ બની શકે છે. કારણ કે ઓર્ગેનિક એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ માટે તેનું મોટું આંતરરાષ્ટ્રીય બજાર પણ છે. ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની માગ એટલી છે કે માત્ર ચાર વર્ષમાં નિકાસ ત્રણ ગણી વધી છે. તેથી, રસાયણ મુક્ત ખેતી ભારતીય ખેડૂતો માટે ઘણી બાબતોમાં સારી ગણી શકાય. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2020-21માં ભારતે 69 દેશોમાં તેના ઓર્ગેનિક ઉત્પાદનોની નિકાસ કરી, જેને 7,000 કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ મળ્યું.

મધ્યપ્રદેશ સરકારે ઓર્ગેનિક ખેતી પર મહત્તમ ધ્યાન આપ્યું છે. તેનો તેમને ફાયદો પણ થયો છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) અનુસાર, વર્ષ 2020-21માં કુલ રૂ. 7078.5 કરોડની ઓર્ગેનિક કૃષિ પેદાશોની નિકાસ કરવામાં આવી હતી, જેમાંથી રૂ. 2683.58 કરોડ એકલા મધ્યપ્રદેશને મળ્યા હતા. માત્ર એક રાજ્યની નિકાસમાં લગભગ 37 ટકા હિસ્સો છે.

નિકાસમાં મધ્યપ્રદેશ કેમ ટોચ પર ?

વર્ષ 2020-21માં ભારતે કુલ 8,88,180 મેટ્રિક ટન ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસ કરી હતી. જેમાંથી 50,0637 મેટ્રિક ટન એકલા મધ્યપ્રદેશમાંથી મોકલવામાં આવી હતી. હાલમાં દેશમાં લગભગ 39 લાખ હેક્ટરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેમાંથી એકલા મધ્યપ્રદેશમાં 17.31 લાખ હેક્ટર વિસ્તાર છે. કુલ 43.38 લાખ ખેડૂતો આવી ખેતી કરી રહ્યા છે, જેમાંથી 7,73,902 ખેડૂતો મધ્યપ્રદેશના છે. આવી સ્થિતિમાં આ રાજ્યને નિકાસનો લાભ પણ મળી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ પણ ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ખૂબ આગળ છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે જો અન્ય રાજ્યો પણ આ જ રીતે ઓર્ગેનિક ખેતી પર કોકસ કરે તો તેમને પણ ફાયદો થશે.

કયા કૃષિ ઉત્પાદનોની વધુ માગ છે

નેશનલ ઓર્ગેનિક ફાર્મિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, પ્રમાણિત ઓર્ગેનિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 5માં ક્રમે છે અને આવી ખેતી કરતા ખેડૂતોના સંબંધમાં પ્રથમ સ્થાને છે. તેથી જ વિશ્વના તમામ દેશો કેમિકલ મુક્ત કૃષિ ઉત્પાદનો માટે ભારતમાં ઓર્ડર આપી રહ્યા છે. ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે ઓર્ગેનિક અનાજ, બાજરી, મસાલા, ખાંડ, સૂકા ફળો, શાકભાજી, ચા અને કોફીની માગ અન્ય દેશોમાં વધુ છે.

આ પણ વાંચો : Navsari: વારંવાર બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન

આ પણ વાંચો : Animal Husbandry: આ લક્ષણોથી જાણો પશુઓને લૂ લાગી છે કે નહીં, જો લાગી હોય તો ખેડૂતોએ કરવો આ ઉપાય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">