Kisan Credit Card: 30 જૂન સુધીમાં ખેડૂતો લોનની રકમની ચૂકવણી કરશે તો મળશે 5% વ્યાજ માફીનો લાભ

કોરોના મહામારીના કારણે સરકારે કૃષિ લોનની ચુકવણીની તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરી છે. સમયસર રકમ ચૂકવી વ્યાજ સહાયનો લાભ લઈ શકાય છે. 30 જૂન સુધી વ્યાજ માફી લાગુ છે.

Kisan Credit Card: 30 જૂન સુધીમાં ખેડૂતો લોનની રકમની ચૂકવણી કરશે તો મળશે 5% વ્યાજ માફીનો લાભ
કિસાન ક્રેડિટ કાર્ડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 1:24 PM

કિસાન ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે 31 માર્ચ સુધીમાં વ્યાજ સાથે પરત કરવાની હોય છે. જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર ખેતી માટે નાણા લીધા છે, તો 30 જુન સુધીમાં તેની ચૂકવણી કરો, અન્યથા તમારે 3% વધારે વ્યાજ ચૂકવવું પડશે. સરકારે આ કૃષિ લોન ચૂકવવાની છેલ્લી તારીખ 30 જૂને જાહેર કરી છે.

સમયમર્યાદામાં લોનની રકમ પરત કરવામાં નહીં આવે તો ત્રણ ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે. છેલ્લી તારીખ પહેલા બેંક 4 ટકા વ્યાજ લેશે, પરંતુ ત્યારબાદ તે 7 ટકા થઈ જશે. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન 31 માર્ચ સુધીમાં વ્યાજ સાથે પરત કરી તમે નવા નાણાકિય વર્ષ માટે લોન લઈ શકો છો.

કોરોના મહામારીના કારણે સરકારે કૃષિ લોનની ચુકવણીની તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરી છે. સમયસર રકમ ચૂકવી વ્યાજ સહાયનો લાભ લઈ શકાય છે. 30 જૂન સુધી વ્યાજ માફી લાગુ છે, તેથી જો તમે તે પહેલા નાણાં જમા કરાવો અને તમે જુલાઈ માસમાં ફરી લોન લઈ શકો છો. આ પ્રકારની કૃષિ લોન કોઈ પણ વ્યાપારી બેંક, સહકારી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક પાસેથી કેસીસી (KCC)દ્વારા લઈ શકાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લેવામાં આવેલી 3 લાખ રૂપિયા સુધીની લોન માટેનો વ્યાજ દર 9 ટકા છે. સરકાર વ્યાજદરમાં 2 ટકાની સબસિડી આપે છે, તેથી ખેડૂતોએ 7 ટકા વ્યાજ ચૂકવાનું રહે છે. જે ખેડૂતો સમયમર્યાદામાં રકમ જમાં કરાવે છે, તેઓને વ્યાજ પર 3 ટકા વધુ છૂટ મળે છે. આમ, નિયમિત લોનની રકમ ભરપાઈ કરનારા ખેડૂતો માટેનો વ્યાજ દર ફક્ત 4 ટકા જ રહે છે.

પાછલા વર્ષે કોરોનાને પગલે અને લોક્ડાઉનની સ્થિતિને કારણે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર લેવામાં આવેલી લોનની રકમ વ્યાજ સાથે જમા કરાવવાની તારીખ બે વાર લંબાવી હતી. સરકાર પહેલા 31 માર્ચથી 31 મે કરી અને બાદમાં 31 ઓગસ્ટ સુધી વધારી હતી. ચાલુ વર્ષમાં પણ સરકારે ત્રણ મહિનાનો વધારનો સમય આપ્યો છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">