પરંપરાગત ખેતી છોડી ખેડૂતોએ આપનાવ્યું ઈન્ટીગ્રેટેડ ફાર્મિંગ, સંકલિત ખેત પદ્ધતિથી ખેડૂતોની આવક થઈ શકે છે બમણી
Integrated farming system: સંકલિત ખેત પદ્ધતિ જમીનના વ્યૂહાત્મક સંચાલનની કવાયત છે જે જોખમને ઘટાડી ખેડૂતોની આવકને વધારે સુરક્ષિત કરવા અને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
મેઘાલયમાં કૃષિ ક્ષેત્રમાં ઘણો સુધારો થઈ રહ્યો છે. ખેડૂતો હવે પારંપરીક ઝૂમ ખેત પદ્ધતિ છોડી સંકલિત ખેત પદ્ધતિને અપનાવી રહ્યા છે. તેની પાછળ આઈસીએઆર (Indian Council of Agricultural Research) ની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ છે. આઈસીએઆરના વરિષ્ઠ વૈજ્ઞાનિક જયંત લયેકે TV9 ને જણાવ્યું કે, પહેલા પારંપરીક ઝૂમ પદ્ધતિથી ખેતી કર્યા બાદ ખેતરને ખાલી છોડી દેતા હતા. જેમાં વરસાદના પાણીના કારણે મોટા પાયે ધોવાણ થતું હતું.
મેઘાલયમાં ભારે વરસાદ પડે છે. જેથી પહાડોથી પાણી નીચે તરફ તીવ્ર પ્રવાહ સાથે પડે છે. આ પ્રવાહમાં ખાલી પડેલા ખેતરોમાં મોટા પાયે માટીનું ધોવાણ થાય છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક જયંત જણાવે છે કે, આઈસીએઆર દ્વારા 1983-2006 દરમિયાન કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઝૂમ ખેતીમાં રૂપાંતર થવાથી દર વર્ષ 17.62 ટન માટીનું ધોવાણ થતું હતું. ત્યારે હવે ખેડૂતો પારંપરીક ઝૂમ ખેતી છોડીને સંકલિત ખેત પદ્ધતિ અપનાવી રહ્યા છે. જેથી તેઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે અને માટીનું ધોવાણ પણ ઘટ્યું છે.
ICAR એ વિવિધ IFS મોડલ વિકસાવ્યા છે
સંકલિત ખેત પદ્ધતિ IFS(integrated farming system) જમીનના વ્યૂહાત્મક સંચાલનની કવાયત છે જે જોખમને ઘટાડી ખેડૂતોની આવકને વધારે સુરક્ષિત કરવા અને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જેનો હેતુ સ્થાયી ખાદ્ય ઉત્પાદનને વધારી અને કૃષિ-ઇકોલોજી તંત્ર પર પર્યાવરણીય અસરને ઓછી કરી સુગમતાને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીએઆરએ વિવિધ IFS મોડલ વિકસિત કર્યા છે જેમાથી ગાર્ડનિંગ પર આધારીત આઈએફએસ માટીના ધોવાણને ઘટાડવા ખુબ જ કારગર સાબિત થયું છે. જેને ઘટાડી 9.36 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ કરવામાં આવ્યું છે.
જૈવિક ખેતીને પ્રોત્સાહન
thifdpole સાથે વાત કરતા વૈજ્ઞાનિક જયંત લયેકે જણાવ્યું કે, સુવર પાલન, મરઘા પાલન અને મત્સ્ય પાલન જેવા એકીકરણથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ છે. માટી અને પાક ઉત્પાદકતાને જાળવી રાખવા માટે વર્મીકમ્પોસ્ટ અપનાવામાં આવી રહ્યું છે. પાક લીધા બાદ તેમના વધેલા અવશેષોનું રીસાઈક્લિંગ કરવામાં આવી રહ્યું છે. અને આંતરપાકને આપનાવામાં આવી રહ્યા છે.
સફળ ખેડૂતોને જોઈને શીખી રહ્યા છે ખેડૂતો
મેઘાલયમાં સંકલિત ખેતી પદ્ધતિને અપનાવી ચૂકેલા એક ખેડૂત જણાવે છે કે, જ્યારથી તેઓએ IFS(integrated farming system) અપનાવ્યું છે ત્યારથી તેઓને ઘર માટે ખાવા અનેક પ્રકારના ભોજન જેમ કે, શાકભાજી, ફળ અને અનાજ મળી રહ્યા છે. તેઓ તેમનું વેચાણ પણ કરી રહ્યા હતા અને કમાણી પણ કરતાં હતા. જેમા તેઓને ખાતરીપૂર્વકની આવક મળતી હતી કારણ કે, જો એક પાક જંતૂઓના હુમલા અથવા તો ઓછા ભાવના લીધે નિષ્ફળ થઈ જાય તો તેઓ અન્ય પાક વેચીને આવક મેળવી લે છે.
તેઓએ આગળ જણાવ્યું કે, કૃષિ પાકના બચેલા અવશેષો સુંવરોના ઘાસચારાના રૂપમાં અને વર્મીકંમ્પોસ્ટ માટે પણ ઉપયોગી છે. જે છોડ માટે ખાતરનું કામ કરે છે. આ સિવાય તેઓ મધમાખી ઉછેર અને સુવર પાલન પણ કરે છે. તેમની સફળતાને જોઈને હવે લોકો પણ સંકલિત ખેત પદ્ધતિને અપનાવા લાગ્યા છે.
આ પણ વાંચો: Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન
આ પણ વાંચો: Aryan Drug Case: NCB સમીર વાનખેડે સામેના આક્ષેપોની ખાતાકીય તપાસ કરશે, અચાનક દિલ્હીનું તેડુ