આ એકમો સ્થાપવા માટે ખેડૂતોને મળી શકે છે 10 કરોડ રૂપિયા, જાણો આ યોજના વિશે
સરકારે આ યોજનાને 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે 4,600 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.
દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મદદ કરે છે. ખેડૂતોને આ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સરકાર ઘણા કાર્યક્રમો પણ ચલાવે છે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના આમાંથી એક યોજના છે. સરકારે આ યોજનાને 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયે 4,600 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.
ખેડૂતો તેમના ઉત્પાદનનું યોગ્ય રીતે કરી શકશે સંચાલન
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ, સરકાર ખેડૂતોને તેમની ઉપજ યોગ્ય રીતે દુકાનો સુધી પહોંચાડવામાં અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરીને મદદ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની ઉપજનું યોગ્ય વ્યવસ્થાપન કરીને બજારમાં સરળતાથી વેચાણ કરી શકે છે.
Under the #AmritMahotsav, Know about #PMKSY and its revised guidelines for the sub-scheme APC, CEFPPC, Cold Chain, Operation Greens, FTL scheme, and Human Resources- R&D scheme under PMKSY.
Know more: https://t.co/MjWq6QotqN…#KnowYourScheme #MOFPISchemes pic.twitter.com/uFwPYolAka
— FOOD PROCESSING MIN (@MOFPI_GOI) December 1, 2022
આ એકમો સ્થાપવા માટે મળી શકે છે 10 કરોડ રૂપિયા
આ યોજના ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. મેગા ફૂડ પાર્ક, કોલ્ડ ચેઇન, ફૂડ પ્રોસેસિંગ/જાળવણી ક્ષમતા, એગ્રો પ્રોસેસિંગ ક્લસ્ટર, બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજનું નિર્માણ/વિસ્તરણ. નક્કી રકમ મુજબ ફંડ આપવામાં આવશે. હાલમાં, સરકારે એગ્રો ક્લસ્ટર યોજના હેઠળ આ માટે 10 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
કૃષિ પેદાશોનો ઓછો બગાડ થશે
સરકારનું માનવું છે કે આનાથી ખેડૂતોને તેમની પેદાશોના સારા ભાવ મેળવવામાં મદદ મળશે, જેનાથી રોજગારમાં પણ વધારો થશે. આ સાથે ખેતપેદાશોનો બગાડ પણ ઘટશે. પ્રોસેસિંગ લેવલમાં વધારો કરવાથી પ્રોસેસ્ડ ફૂડ આઈટમ્સની નિકાસને વેગ મળશે. કેન્દ્રનો દાવો છે કે તેનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.
પીએમ કિસાન યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો ડિસેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે. જોકે, સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે જે ખેડૂતોએ યોજના માટે અરજી કરી નથી. તેઓએ PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાને નોંધણી કરાવવી પડશે. જો તેઓ તેને ઓનલાઈન કરી શકતા નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ શકે છે અને યોજના માટે અરજી કરી શકે છે.