Cotton Crop: કપાસના પાક પર જીવાતનો ઉપદ્રવ, ખેડૂતોએ સરકારને કરી આ અપીલ
દર વર્ષે વિવિધ રોગોના પ્રકોપને કારણે કપાસનો પાક (Cotton Crop) જોખમમાં મુકાય છે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ વર્ષે સિઝનના પ્રારંભે કપાસમાં રોગચાળાના કારણે કપાસના છોડ મોટી સંખ્યામાં નષ્ટ થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે ખરીફ સિઝનમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કપાસ અને સોયાબીનનો પાક મોટા પાયે લેવામાં આવે છે પરંતુ, આ વર્ષે ખેડૂતો (Farmers)ને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતકાળમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું. હવે રોગ અને જીવાતોના વધતા પ્રકોપને કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે નંદુરબાર જિલ્લામાં કપાસના પાક (Cotton Crop)ને રોગની અસર થઈ રહી છે. જેના કારણે નંદુરબાર જિલ્લાના ખેડૂતો પરેશાન છે. વિદર્ભ અને મરાઠવાડામાં કેટલાક સ્થળોએ પહેલેથી જ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ખરાબ અસર થઈ છે. તેવી જ રીતે પાક પર રોગચાળો ફેલાવાથી ખેડૂતો સામે નવી સમસ્યા ઉભી થઈ છે.
ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે
રાજ્યના ખેડૂતો કપાસને રોકડિયા પાક તરીકે જુએ છે. પરંતુ, દર વર્ષે વિવિધ રોગોના પ્રકોપને કારણે કપાસનો પાક જોખમમાં મુકાય છે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ વર્ષે સિઝનના પ્રારંભે કપાસમાં રોગચાળાના કારણે કપાસના છોડ મોટી સંખ્યામાં નષ્ટ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખેડૂતો સમક્ષ પ્રશ્ન એ છે કે કપાસનો પાક કેવી રીતે વધારવો, ખેડૂતોને મોંઘા બિયારણ, તેમજ ખેતી અને દવાઓ પાછળ મોટો ખર્ચ કરવો પડે છે.
કપાસના ઉભા છોડની જેમ મોટી સંખ્યામાં નષ્ટ થઈ રહ્યા છે. પાક પાછળનો ખર્ચ ખેડૂતોના માથે પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. હવે ખેડૂતોને ખરીફ સિઝન બરબાદ થવાની ભીતિ છે. ગત વર્ષે મળેલા કપાસના રેકોર્ડ દરને કારણે આ વર્ષે રાજ્યમાં ખેડૂતોએ કપાસનું મોટા પાયે વાવેતર કર્યું છે. તેને ટાંકીને ખેડૂતોએ સરકારને મદદની અપીલ કરી છે.
ખેડૂતોએ તાત્કાલિક પંચનામા કરવાની માગ કરી હતી
જીલ્લાના વિસ્તારો જ્યાં પાકને જીવાતોથી અસર થાય છે. ત્યાં કપાસ ઉગાડતા ખેડૂતોએ કપાસના પાકમાં રોગના સ્થળોએ પાકના તાત્કાલીક પંચનામા કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની માંગણી કરી છે. સરકાર કપાસના ખેડૂતોને જોઈને નુકસાનનું આકલન કરશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે. રાજ્યના ખેડૂતો પહેલેથી જ ભારે વરસાદથી પરેશાન છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આ વરસાદને કારણે ખેતીના પાકને પણ ઘણું નુકસાન થયું છે. પાક પર થતા રોગોથી ખેડૂતો પરેશાન છે. જ્યાં સુધી સરકાર આર્થિક મદદ ન કરે. ત્યાં સુધી ખેડૂતો આ સંકટમાંથી બહાર આવી શકશે નહીં.
વરસાદના કારણે કપાસના પાકને પણ નુકસાન થયું છે
આ વર્ષે ખરીફમાં ખેડૂતોએ કપાસ અને સોયાબીનનું મોટા પાયે વાવેતર કર્યું છે. જૂન મહિનામાં ખેડૂતોએ વાવણી કરી ત્યારે વરસાદમાં વિલંબ થવાથી તે બરબાદ થઈ ગઈ હતી, તો જુલાઈમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું હતું. સાથે જ જીવાતોના વધતા પ્રકોપને કારણે પાક બરબાદ થઈ રહ્યો છે. ગોકળગાય સોયાબીનના પાકનો પણ નાશ કરી રહ્યા છે. વરસાદ બાદ પાક પર જીવાતોનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે.