ખેડૂતોએ ચાલુ માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ અને ડાંગરના પાકમાં શું કરવું.
ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. પરંતુ હાલ વરસાદ (Rain) ખેંચાતા અને પિયતના અભાવે લગભગ બધા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું (Crops) વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ (Cotton) અને ડાંગરના પાકમાં શું કરવું.
કપાસ
1. ઋતુ દરમ્યાન રોગને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણ પગલાં લેવા.
2. વધારના કપાસના છોડને ધીમેથી ખેંચી કાઢવા તથા જે જગ્યાએ ખાલા પડેલ હોય તે ખાલા પૂરવા.
3. વાવેતર બાદ એક માસના અંતરે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવું.
4. થ્રીપ્સ, સફેદ માંખી, તડતડીયાનાં નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5 % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા
5. થાયાકલોપ્રીડ 5 મિ.લી. અથવા ફુલોનીકામાઇડ 3 ગ્રામ, ડાયફેન્થુરોન 10 ગ્રામ, ડીનોટેફયુરાન 10 ગ્રામ, પ્રોફેનોફોસ 10 મિ.લી., ફીપ્રોનીલ 20 મિ.લી., ઈમીડાકલોપ્રીડ 10 મિ.લી., ફેનવાલરેટ 10 મિ.લી. પૈકી કોઈપણ એક કીટનાશક 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
6. કપાસમાં મુળખાઈનાં નિયત્રણ માટે કોપર ઓક્ઝીફ્લોરાઈડ 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી ડ્રેન્ચિંગ કરવું.
7. ટપક પદ્ધતિ અપનાવી ઓછા પાણીએ વધુ વાવેતર, નિંદણ નિયંત્રણ, રોગ-જીવાત નિયંત્રણ તેમજ ગુણવાતાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકાય.
ડાંગર
1. ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ ધરુંવાડિયા જ શરુ થઈ જતો હોઈ એમામેકટીન બેન્ઝોએટ 4 ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ 4% દાણાદાર કીટનાશક 1 કિ.ગ્રા. / 100 ચો.મી. (1 ગુઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ 15 દિવસે આપવો.
2. તીતીઘોડોનાં નિયંત્રણ માટે સપરમેથીન 25 ટકા શેઠા પાળા પર છંટકાવ કરવો. અથવા
3. ડીડીવીપી 1 લીટર 250 કિલો રેતી સાથે મિશ્રણ કારી એક હેક્ટર માં ઉભા પાકમાં પૂકી દેવું.
4. પાનનાં ટપકાની રોગ (સરકોસ્પોરા) : રોગની શરૂઆત થયેથી ૦.૦૦૫% હેક્ઝાકોનાઝોલ અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦૨૫% ના દ્રાવણના
12 દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
5. ભુકીછારો : રોગની શરૂઆત થયેથી ૦.૧૫% વેટેબલ ગંધક અથવા હેક્ઝાકોનાઝોલના દ્રાવણના 15 દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી