ખેડૂતોને DAP ખાતર પર 1200 રૂપિયાની સબસિડી કેવી રીતે મળશે? જાણો તેના માટે શું કરવું પડશે
ખેડૂતોને રાહત આપતા કેન્દ્ર સરકારે ખાતરો પર સબસિડીની મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ ડીએપીના એક થેલી પર 500 રૂપિયાની સબસિડી મળતી હતી, પરંતુ હવે તે 1200 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે વધેલી સબસિડીનો લાભ ખેડૂતોને કેવી રીતે મળશે?
ખેડૂતોને (Farmers) રાહત આપતા કેન્દ્ર સરકારે ખાતરો (Fertilizers) પર સબસિડીની મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ ડીએપીના (DAP) એક થેલી પર 500 રૂપિયાની સબસિડી મળતી હતી, પરંતુ હવે તે 1200 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે વધેલી સબસિડીનો લાભ ખેડૂતોને કેવી રીતે મળશે? તેનો જવાબ દેશના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા ખુદ આપવામાં આવ્યો છે.
मुझे खाद पर सब्सिडी आखिर कैसे मिलेगी ? क्या मुझे खाद की दुकान पर 1200 रूपए ही देकर DAP का एक बैग मिलेगा ?
जानिए सब्सिडी पाने के लिए आपको क्या करना होगा…#AatmNirbharKrishi pic.twitter.com/J9GgPnILEj
— Narendra Singh Tomar (@nstomar) May 26, 2021
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, 1200 રૂપિયામાં ડીએપી ખાતરની એક થેલી ખેડૂતોને મળશે. વધેલા ભાવોથી ખેડૂતોને અસર થશે નહીં. તોમરે જણાવ્યું હતું કે ડીએપી ખરીદતી વખતે ખેડૂતોએ આધારકાર્ડ અથવા કિસાન ક્રેડિટ કાર્ડ સાથે રાખવું પડશે. બાયોમેટ્રિક (અંગૂઠાની છાપ) દ્વારા ખેડૂતની ઓળખ કર્યા બાદ, સરકાર ડીબીટી (DBT) દ્વારા કંપનીના ખાતામાં રૂપિયા 1211 ની સબસિડી ટ્રાન્સફર કરશે. એટલે કે, ખેડૂતોને પહેલાની જેમ 2411 રૂપિયાને બદલે 1200 માં ડીએપીનો એક થેલી મળશે.
મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરોના વધતા ભાવો વચ્ચે ડીએપી અને પોટાશ જેવા ખાતરોના ખર્ચને નિયંત્રણમાં રાખવા વધારાની સબસિડીની જાહેરાત કરી હતી. આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ એ હતો કે ખાતરના વધેલા ભાવનો ભાર ખેડૂતો ઉપર ન આવે અને તેઓને પહેલાની કિંમતે જ ખાતર મળી રહે.
યુરિયા પછી, રાસાયણિક ખાતરનો, જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તેનો ભાવ ગયા મહિને 2400 રૂપિયા થઈ ગયો હતો. સરકાર દ્વારા 500 રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. એટલે કે, એક થેલી ખાતર માટે ખેડુતોને 1900 રૂપિયા ચુકવવા પડશે. ખેડૂતોને રાહત આપતા સરકારે સબસિડી 500 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરી દીધી. ખરીફ સીઝન પહેલા ખેડૂતો માટે આ ખૂબ મોટી રાહત હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતો અગાઉના ભાવે ડીએપી મેળવી રહ્યા છે.
બુધવારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. વધારાની સબસિડીની આ જોગવાઈનો ભાર લગભગ 14,775 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમાંથી ડીએપી પર સબસિડી માટે 9125 રૂપિયા જાહેર કરાયા છે, જ્યારે એનપીકે ખાતર માટે રૂ. 5650 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.