પપૈયાના પાકને રોગથી બચાવવા માટે આ ઉપાય કરે ખેડૂતો, નુકસાનમાં થશે ઘટાડો અને વધશે કમાણી

કૃષિ તજજ્ઞો કહે છે કે જો પપૈયાના મુખ્ય રોગોનું સમયસર અને યોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે તો મોટું નુકસાન થઈ શકે છે. જો તમે પણ પપૈયાની ખેતી (Papaya Farming) કરો છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેને મોટી બીમારીઓથી કેવી રીતે બચાવી શકાય.

પપૈયાના પાકને રોગથી બચાવવા માટે આ ઉપાય કરે ખેડૂતો, નુકસાનમાં થશે ઘટાડો અને વધશે કમાણી
Papaya FarmingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 3:50 PM

ખેડૂતો (Farmers)આખું વર્ષ પપૈયાની ખેતી(Papaya Farming)કરે છે. સારી વૃદ્ધિ મેળવવા માટે ભેજવાળી આબોહવા વધુ યોગ્ય માનવામાં આવે છે. આજના સમયમાં ખેડૂતો પપૈયા(Papaya Crop)ની વ્યાવસાયિક ખેતી મોટા પાયે કરી રહ્યા છે અને તેનો લાભ પણ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, પોતાના પાકનું યોગ્ય સંચાલન કરવું જરૂરી છે જેથી નુકસાન ઓછું થાય અને ઉપજ વધુ મળે. કૃષિ તજજ્ઞો કહે છે કે જો પપૈયાના મુખ્ય રોગોનું સમયસર અને યોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે તો મોટું નુકસાન થઈ શકે છે. જો તમે પણ પપૈયાની ખેતી કરો છો તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેને મોટી બીમારીઓથી કેવી રીતે બચાવી શકાય. આને અપનાવીને તમે નુકસાનને ઘટાડી શકો છો.

જો કે પપૈયા ઘણા રોગોની સંભાવના ધરાવે છે, પરંતુ મુખ્ય રોગોમાંથી એક મૂળ અને દાંડીનો સડો છે. તેને કોલર રોટ પણ કહેવામાં આવે છે. સિનિયર ફ્રૂટ સાયન્ટિસ્ટ ડૉ.એસ.કે. સિંઘના જણાવ્યા અનુસાર, પપૈયામાં મૂળ અને દાંડીનો સડો એ મુખ્ય રોગ છે. આ રોગ Pythium aphanidermatum અને Phytophthora palmivora નામની ફૂગથી થાય છે. આ રોગમાં ઝાડ મૂળ કે દાંડી સડી જવાથી સુકાઈ જાય છે. તેનું પ્રથમ લક્ષણ દાંડી પર પાણીયુક્ત ધબ્બા તરીકે દેખાય છે, જે પાછળથી વધે છે અને દાંડીની આસપાસ ફેલાય છે.

આ રીતે પપૈયાને રોગથી બચાવો

આ રોગને કારણે છોડની ટોચ પરના પાંદડા સુકાઈ જાય છે અને પીળા થઈ જાય છે અને ઝાડ સુકાઈને પડી જાય છે. જમીનની અંદરના મૂળ સંપૂર્ણપણે સડી જાય છે. વરસાદની ઋતુમાં, જ્યાં ડ્રેનેજ સારી ન હોય ત્યાં, દાંડીની સ્કીન જમીનના સ્તરની નજીક સડી જાય છે. જેના કારણે પાંદડા પીળા પડી જાય છે અને છોડ સુકાઈ જાય છે. કેટલીકવાર છોડ જમીનના સ્તરથી તૂટી જાય છે અને પડી પણ જાય છે. વૈજ્ઞાનિક ડૉ. એસ.કે. સિંહ પપૈયાના મૂળ અને દાંડીને સડતા અટકાવવા માટે કેટલીક ટિપ્સ આપી રહ્યા છે, જેને અપનાવી શકાય.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
  1. પાણી ભરાયેલા વિસ્તારોમાં પપૈયાનું વાવેતર ન કરવું જોઈએ.
  2. પપૈયાના બગીચામાં ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
  3. જો દાંડીમાં ફોલ્લીઓ જોવા મળે, તો છોડના દાંડીની નજીક 5 સે.મી.ની ઊંડાઈથી માટી કાઢીને રીડોમિલ (મેટોલોક્સિલ) અથવા મેન્કોઝેબ (2 ગ્રામ પ્રતિ લિટર પાણી)નું દ્રાવણ બનાવીને જમીનમાં સારી રીતે પિયત આપવું. રોગગ્રસ્ત છોડને જડમૂળથી ઉખાડીને જમીનમાં દાટી દો અથવા ખેતરની બહાર બાળી દો.
  4. છોડની આસપાસની જમીનને એક ટકા બોર્ડેક્સ મિશ્રણથી સારી રીતે પિયત કરો. આ કામ રોગની તીવ્રતા અનુસાર જૂન-જુલાઈમાં 2-3 વખત કરો.
  5. રોપણી પહેલા ખાડામાં ટ્રાઇકોડર્મા 1 કિગ્રા પ્રતિ 100 કિગ્રા સડેલા ખાતર અથવા કમ્પોસ્ટમાં સારી રીતે ભેળવ્યા પછી દરેક ખાડામાં 5-6 કિગ્રા વાપરો. આમ કરવાથી રોગની તીવ્રતા ઓછી થાય છે અને છોડનો વિકાસ સારો થાય છે.
  6. ડેમ્પિંગ ઑફ નામના રોગને રોકવા માટે ઉપયોગમાં લેવાતા પગલાં પણ ધ્યાનમાં રાખવા જોઈએ. આને રોકવા માટે, નર્સરીની જમીનને વાવણી પહેલાં 2.5 ટકા સોલ્યુશન સાથે ફોર્માલ્ડીહાઈડથી માવજત કરવી જોઈએ અને 48 કલાક માટે પોલિથીનથી ઢાંકી દેવી જોઈએ. આ કામ નર્સરી રોપવાના 15 દિવસ પહેલા કરવું જોઈએ.
  7. થિરામ, કેપ્ટોન (10 ગ્રામ બીજ દીઠ 2 ગ્રામ) અથવા ટ્રાઇકોડર્મા (5 ગ્રામ/10 ગ્રામ બીજ) સાથે પ્રક્રિયા કર્યા પછી બીજ વાવવા જોઈએ.
  8. નર્સરીમાં આ રોગ અટકાવવા માટે રીડોમીલ (મેટોલોક્સિલ) M-Z-78 (2 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં) નો છંટકાવ એક અઠવાડિયાના અંતરે કરવો જોઈએ.
  9. વરસાદમાં નર્સરીને પ્લાસ્ટિકથી ઢાંકી દેવી જોઈએ.
  10. નર્સરીનું સ્થાન બદલવું જોઈએ.

નોંધ: ઉપરોક્ત માહિતી કૃષિ નિષ્ણાંતો અનુસાર છે કોઈ પણ બાબતનો અમલ કરતા પહેલા કૃષિ વૈજ્ઞાનિક અથવા નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">