Crop Protection: ખેડૂતો ઉંદરને માર્યા વિના આ રીતે મેળવી શકે છે છૂટકારો, ખૂબ જ સરળ છે આ રીત
એક સંશોધન મુજબ, ઉંદરો ખેતરમાં ઉભા પાકને 5 થી 15 ટકા સુધી નુકસાન પહોંચાડે છે. ઉંદરો (Rats) સૌથી વધુ ઉભા પાકને બગાડે છે. અમર્યાદિત પ્રજનન ક્ષમતાને લીધે, તેમને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે.
પાક (Crop) તૈયાર થતાંની સાથે જ ખેતરોમાં ઉંદરો (Rats) મોટી માત્રામાં દેખાવા લાગે છે, તેથી સમયસર કેટલાક પગલાં લેવા જોઈએ. સામાન્ય રીતે મે-જૂન મહિનામાં ઉંદરોની સંખ્યા ઓછી હોય છે, આ યોગ્ય સમય છે, આ અભિયાન સામૂહિક રીતે ચલાવવું જોઈએ. ઉંદરો ખેતરના કોઠાર, ઘર અને વેરહાઉસમાં અનાજ ખાય છે તેમજ તેમના મળમૂત્ર વડે અનાજ બગાડે છે અને રોગો ફેલાવવાનું જોખમ રહેલું છે. એક સંશોધન મુજબ, ઉંદરો ખેતરમાં ઉભા પાકને 5 થી 15 ટકા સુધી નુકસાન પહોંચાડે છે. ઉંદરો સૌથી વધુ ઉભા પાકને બગાડે છે. અમર્યાદિત પ્રજનન ક્ષમતાને લીધે, તેમને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. ઉંદરોની એક જોડી એક વર્ષમાં 500 થી 800 સુધી સંખ્યા વધારી શકે છે.
એવું માનવામાં આવે છે કે આ ઉંદરો એક વર્ષમાં અનાજનું એટલું નુકસાન કરે છે કે તે વિશ્વની અડધી વસ્તીને ખવડાવી શકે છે. જેના કારણે દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. આ પછી પણ ઉંદરોની વસ્તી ઘટાડવામાં સફળતા મળી રહી નથી. ઉંદરો પાકને બગાડે નહીં તે માટે વિવિધ પગલાં લેવામાં આવે છે. મોટી સંખ્યામાં ઉંદરોનો નાશ થાય છે. હવે સવાલ એ થાય છે કે એવા કયા ઉપાયો અપનાવી શકાય કે જેથી ઉંદરોને માર્યા વિના તેમને પાકથી દૂર રાખી શકાય. ત્યારે નીચે આપેલા ઉપાયો અપનાવી શકાય.
લાલ મરચું
ઉંદરોને ભગાડવા માટે ખાવામાં વપરાતું લાલ મરચું ખૂબ જ અસરકારક છે. જ્યાં ઉંદરોનો આતંક ફેલાયેલો છે ત્યાં તેનો છંટકાવ તેમને ભગાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જ્યાંથી વધુ ઉંદરો આવે ત્યાં લાલ મરચાનો પાવડર નાખો. ઉંદરો પણ માણસના વાળથી પણ ભાગી જાય છે. કારણ કે તેઓ તેને ગળી જવાથી મૃત્યુ પામે છે, તેથી તેઓ તેની નજીક આવવાથી ખૂબ ડરે છે.
પીપરમિન્ટ
ઉંદરોને પીપરમિન્ટની ગંધ ગમતી નથી. કપાસ સાથે પીપરમેન્ટ ખેતરમાં રાખશો તો ઉંદરો આપોઆપ ભાગી જશે.
ફુદીના
જો ખેતરમાં કોઈ જગ્યાએ ફુદીનાના રોપા વાવવામાં આવે તો ઉંદરો આજુબાજુ ફરકશે પણ નહીં. ઉંદરો ફુદીનાની ગંધ સહન કરી શકતા નથી. જો તમે ફુદીનાના પાન તેમના દર બહાર મૂકશો તો ઉંદરો દરમાંથી બહાર આવશે તો પણ ખેતરમાં જશે નહીં.
કાળા મરી
જો તમે ખેતરમાંથી ઉંદરોને ભગાડવા માંગતા હો, તો કાળા મરીના બીજ જ્યાં ઉંદર છુપાય છે ત્યાં ફેલાવો. આ પદ્ધતિ અસરકારક હોઈ શકે છે.
ફટકડી
ફટકડી એ ઉંદરનો દુશ્મન છે. ફટકડીના પાઉડરનું સોલ્યુશન બનાવીને દર પાસે છાંટો. ઉંદરોથી છુટકારો મેળવવાની આ એક સરળ અને અસરકારક રીત છે.
તેજપત્તા
તેજપત્તા ઉંદરોને ભગાવવાનો અચક ઉપાય છે. તેની ગંધથી ઉંદરો ભાગી જાય છે. તેથી, જો તમે ઇચ્છો તો, જ્યાં ઉંદરો વધુ આવે છે ત્યાં તમે તેજપત્તા રાખી શકો છો.
કપૂર
ઘરમાં પૂજા માટે કપૂરની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, તેનો ઉપયોગ ઉંદરોને ભગાડવા માટે પણ થઈ શકે છે. તેને ઉંદરોના દર અને તેની આસપાસ મૂકો, તેની ગંધને કારણે ઉંદરોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને તે બહાર આવી જાય છે.