આ રાજ્યના ખેડૂતો સળગાવશે પરાલી તો નહીં મળે PM kisan સન્માન નિધિનો લાભ, ભરવો પડશે દંડ!
રાજ્યમાં કોઈ પણ ખેડૂત પરાલી સળગાવતા પકડાશે તો તેને પીએમ કિસમ સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે નહીં. કારણ કે સરકારનું માનવું છે કે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ભારતમાં શિયાળાની ઋતુમાં પરાલી સળગાવવાથી પ્રદૂષણ વધે છે.
દિલ્હી-એનસીઆર સહિત તેના પડોશી રાજ્યોમાં હવા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જો કે, તમામ રાજ્યોમાં પરાલી બાળવા પર પ્રતિબંધ છે. દરમિયાન, એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે પરાલીને લઈને મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં કોઈ પણ ખેડૂત પરાલી સળગાવતા પકડાશે તો તેને પીએમ કિસમ સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે નહીં. કારણ કે સરકારનું માનવું છે કે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ભારતમાં શિયાળાની ઋતુમાં પરાલી સળગાવવાથી પ્રદૂષણ વધે છે. આ જ કારણ છે કે, સરકારે આ નિર્ણય લીધો છે જેથી પરાલી સળગવાની ઘટનાઓ અટકાવી શકાય.
ખાસ વાત એ છે કે આ નિર્ણય ગોરખપુરમાં લેવામાં આવ્યો છે. આ સાથે સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ખેડૂત પરાલી સળગાવતા પકડાશે તો તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, જો એક એકર જમીન ધરાવનાર ખેડૂતો પરાલી સળગાવતા પકડાય તો તેમને 2500 રૂપિયાનો આર્થિક દંડ ભરવો પડશે. ત્યારે એક એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પર 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કૃષિ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અરવિંદ સિંહે જણાવ્યું હતું કે પરાલી બાળતી વખતે સેટેલાઇટ દ્વારા એક ખેડૂતની ઓળખ કરવામાં આવી છે. આ જ કારણ છે કે આવો નિર્ણય લેવો પડ્યો. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે 23 કેસ નોંધાયા હતા, પરંતુ આ વખતે માત્ર એક જ રિપોર્ટ નોંધાયો છે.
મુખ્ય કારણ લોકો દંડથી ડરે છે
આપને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆરની સાથે ઉત્તર પ્રદેશમાં પણ શિયાળાએ દસ્તક આપી છે. સાંજે, આકાશ ધુમ્મસવાળું બને છે. સાથે જ પવનની ગતિ પણ ધીમી પડી જાય છે. આવી સ્થિતિમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દિવાળી પછી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. આનું મુખ્ય કારણ પરાલી સળગાવવાની ઘટનાઓમાં ઘટાડો છે. તેનું મુખ્ય કારણ લોકોમાં દંડ અંગેનો ડર છે. આ સાથે લોકોમાં પણ જાગૃતિ આવી છે.
પ્રતિબંધ હટાવવાનો આપ્યો હતો આદેશ
આપને જણાવી દઈએ કે આજે સવારે એવી માહિતી મળી હતી કે દિલ્હી-NCRના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં થોડો ઘટાડો થયો છે. પવનની દિશા બદલાવાને કારણે અગાઉના દિવસોની સરખામણીએ પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો છે. જો કે રવિવારથી જ આ સુધારો જોવા મળ્યો હતો. આ પછી, કેન્દ્રના એર ક્વોલિટી કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના અંતિમ તબક્કા હેઠળ દિલ્હી-NCRમાં નોન-BS-6 ડીઝલ સંચાલિત હલ્કા મોટર વાહનો અને ટ્રકો પર લાદવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.