Pomegranate Farming: દાડમની ખેતી ખેડૂતોને કરી શકે છે માલામાલ, સતત 24 વર્ષ સુધી આપી શકે છે ઉત્પાદન
નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે.
ભારતમાં પરંપરાગત ખેતી(Farming in India)માં થતા નુકસાન અને દર વર્ષે કુદરતી આફતોને કારણે થતા નુકસાનને કારણે ખેડૂતોએ અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. ખેડૂતો એવા પાકોને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેનો ખર્ચ ઓછો અને નફો વધુ છે. હાલ ખેડૂતો (Farmers)માં દાડમની ખેતી (Pomegranate Farming)કરવાની પ્રથા ઝડપથી વધી છે. ભારતમાં તેની મહત્તમ ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં થાય છે. આ છોડ 3 થી 4 વર્ષમાં વૃક્ષ બની જાય છે અને ફળ આપવા લાગે છે.
આપને જણાવી દઈએ કે દાડમનું ઝાડ લગભગ 24 વર્ષ જીવે છે, એટલે કે તમે આટલા વર્ષો સુધી તેનાથી નફો કમાઈ શકો છો. નિષ્ણાતોના મતે દાડમના છોડનું વાવેતર ઓગસ્ટ કે માર્ચમાં કરી શકાય છે. તેની ખાસ વાત એ છે કે તેને કોઈપણ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ માટે ખેડૂતોએ રોપા વાવવાના એક મહિના પહેલા ખાડા ખોદવાના રહે છે. આ ખાડાઓને લગભગ 15 દિવસ સુધી ખુલ્લા રહેવા દેવામાં આવે છે. આ પછી, લગભગ 20 કિલો સડેલુ છાણ ખાતર, 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, 0.50 ગ્રામ ક્લોરો પાયરીફોસનો પાવડર તૈયાર કરી અને તે બધાને ખાડાની સપાટીથી 15 સે.મી. ઉંચાઈ સુધી ભરવામાં આવે છે.
દાડમના છોડ માટે પર્યાપ્ત સિંચાઈ સૌથી મહત્વપૂર્ણ છે. તેને દર 5 થી 7 દિવસે સિંચાઈ કરવી જોઈએ. આ સિવાય ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તે સંપૂર્ણ પાકી ન જાય ત્યાં સુધી તેના ફળની કાપણી ન કરો. દાડમની ખેતીમાં એક ઝાડમાંથી 80 કિલો ફળ મેળવી શકાય છે. એક હેક્ટરમાં લગભગ 4800 ક્વિન્ટલ ફળની લણણી કરી શકાય છે. નિષ્ણાતોના મતે, એક હેક્ટરમાં દાડમની ખેતી કરીને તમે સરળતાથી અંદાજે 8 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
આ પણ વાંચો: Fake Note Alert: ક્યાંક તમારા ખિસ્સામાં રહેલી 500 રૂપિયાની નોટ નકલી તો નથીને? આ રીતે ઓળખો અસલી છે કે નકલી