ખેડૂતોએ કીટનાશક રસાયણ અને જંતુનાશક દવાનો સંયમ પૂર્વક કરવો ઉપયોગ, નહીં તો થઈ શકે છે નુકશાન

પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આધુનિક ખેતીમાં વધુ પાક ઉત્પાદન મેળવવા માટે કીટનાશક રસાયણોનો ઉપયોગ લગભગ એક અનિવાર્ય અંગ બની ગયુ છે.

ખેડૂતોએ કીટનાશક રસાયણ અને જંતુનાશક દવાનો સંયમ પૂર્વક કરવો ઉપયોગ, નહીં તો થઈ શકે છે નુકશાન
જંતુનાશક દવાનો ઉપયોગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 4:04 PM

ખેડૂતોના (Farmers) ખેતી પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) નો અભિગમ વિકસાવવામાં આવેલ છે. આ નૂતન અભિગમ પ્રમાણે જીવાતના નિયંત્રણ માટે સૌ પ્રથમ બિન રાસાયણિક પધ્ધતિઓનો ઉપયોગ કરી જીવાતનું પ્રમાણ નીચુ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જરૂર જણાય તો જ કીટનાશકનો ઉપયોગ કરવાની ખેડૂતોને સલાહ આપવામાં આવે છે.

પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આધુનિક ખેતીમાં વધુ પાક ઉત્પાદન મેળવવા માટે કીટનાશક રસાયણોનો ઉપયોગ લગભગ એક અનિવાર્ય અંગ બની ગયુ છે તેમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. પાક સંરક્ષણમાં ખાસ કરીને કીટનાશકો પાછળ થતો ખર્ચ અગત્યનું પાસુ છે તેનો ઉપયોગ ખૂબ જ કાળજી માગી લે છે. આજે જયારે આપણે ટકાઉ ખેતીની વાતો કરીએ છીએ ત્યારે ખેતી ખર્ચ ઘટાડવો ખૂબ જ જરૂરી છે.

કીટનાશક રસાયણોનો જો સંયમ પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણને નુકસાન પહોંચાડયા વગર ખેડૂતોને પોષાય તે રીતે જીવાતનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. ઘણી વખત પાકમાં અસાધારણ પરિસ્થિતિ જોવા મળે છે. આવી સ્થિતિ માટે હંમેશા જીવાત કે રોગ જ જવાબદાર હોય છે એવું નથી. તે માટે રોગ-જીવાત સિવાય અમુક પોાક તત્વની ઉણપ, જમીનનો ભેજ તેમજ વાતાવરણના વિવિધ પરીબળો એક યા બીજી રીતે ભાગ ભજવતા હોય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સૌ પ્રથમ પાકની અસાધારણ પરિસ્થિતિ માટેના જવાબદાર પરીબળનું નિદાન કરો. જો જીવાત કે રોગ જવાબદાર ઠરે તો તેને અનુરૂપ યોગ્ય પગલાં લેવાનું વિચારો. તેના નિયંત્રણ માટે જયારે જંતુનાશકનો ઉપયોગ કરવાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે જે તે જીવાત, રોગ, કૃમિ કે નીંદણ માટે યોગ્ય રસાયણની પસંદગી થાય તે ખૂબ જ હિતાવહ છે.

પાકમાં એકલ-દોકલ જીવાતની હાજરી જણાય કે પાકનો એકાદ ભાગ ઉપદ્રવિત જોવા મળે કે તરત જ કીટનાશકનો ઉપયોગ શરૂ કરી દેવો તે બરાબર નથી. તે માટે સૌ પ્રથમ તો જે તે જીવાતની માત્રા / પ્રમાણ જાણવાનો પ્રયત્ન કરો. પાકમાં જે તે જીવાત તેની ક્ષામ્ય માત્રાનો આંક વટાવે ત્યારે જ યોગ્ય ભલામણ મુજબના કીટનાશક રસાયણનો ઉપયોગ કરવો જોઈએ.

માહિતી સ્ત્રોત: આણંદ કૃષિ યુનિવર્સીટી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">