રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી, ખેડૂતોની આવકમાં થયો વધારો, સરકાર 9 અન્ય દેશોમાં નિકાસની શક્યતાઓ તપાસશે

આ વર્ષે ઘઉંની MSP સરકાર દ્વારા 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ દેશભરના ખેડૂતોને ઘઉંના ભાવ MSP કરતા વધારે મળી રહ્યા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી, ખેડૂતોની આવકમાં થયો વધારો, સરકાર 9 અન્ય દેશોમાં નિકાસની શક્યતાઓ તપાસશે
Wheat Production
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 4:08 PM

ઘઉં ઉત્પાદક (Wheat Production) દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ટોચ પર છે, પરંતુ વિતેલા વર્ષોમાં વિશ્વભરના દેશો ભારતીય ઘઉંના સ્વાદથી અજાણ હતા, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતીય ઘઉંની માગ વધી છે. રશિયા અને યુક્રેનને ઘઉંનો ગઢ કહેવામાં આવે છે. અગાઉના વર્ષો સુધી બંને દેશો વિશ્વના મોટાભાગના દેશોની ઘઉંની જરૂરિયાતો પૂરી કરતા હતા, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના પુરવઠાને અસર થઈ હતી. આ દરમિયાન ભારતીય ઘઉંની માગમાં જબરદસ્ત વધારો થયો છે. ઉદાહરણ તરીકે, સંકટના આ સમયમાં ભારતીય ખેડૂતોની મહેનતથી ઉત્પાદિત ઘઉં વિશ્વના લોકોની ભૂખ મિટાવી રહ્યું છે. હવે 9 અન્ય દેશો પણ આ ક્રમમા જોડાવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સરકાર 9 દેશોમાં ઘઉંની નિકાસની શક્યતાઓ તપાસશે

વૈશ્વિક માગમાં વધારો વચ્ચે ભારતે 2022-23માં રેકોર્ડ 10 મિલિયન ટન ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા 9 દેશોમાં ઘઉંની નિકાસની શક્યતાઓ ચકાસવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ અંગે ચર્ચા કરવા મોરોક્કો, ટ્યુનિશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, વિયેતનામ, તુર્કી, અલ્જેરિયા અને લેબનોન ખાતે પ્રતિનિધિમંડળ મોકલવાનું આયોજન કર્યું છે.

સરકારે વિવિધ મંત્રાલયોના પ્રતિનિધિઓ સાથે કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) ના નેજા હેઠળ ઘઉંની નિકાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે ઘઉંની ગુણવત્તાના ધોરણોનું પાલન કરવાનું કહ્યું છે. 2021-22માં, ભારતે $2.05 બિલિયનના મૂલ્યની રેકોર્ડ 7 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઈજિપ્તમાં 10 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવશે

રુશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારત ઈજિપ્તમાં ઘઉંના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે. ઇજિપ્તે ભારત સરકાર સાથે 10 લાખ ટન ઘઉંના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત આ ઘઉંની ભારતમાંથી ઇજિપ્તમાં નિકાસ કરવામાં આવશે. યુદ્ધ પહેલા, યમન, અફઘાનિસ્તાન, કતાર જેવા દેશો ભારતીય ઘઉંના નવા ગ્રાહકો તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે 2020-21 સુધી ભારત બાંગ્લાદેશને 54 ટકા ઘઉંની નિકાસ કરતું હતું.

ઘઉં MSP કરતા વધુ ભાવે વેચાઈ રહ્યા છે

દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદીની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ વર્ષે ઘઉંની MSP સરકાર દ્વારા 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ દેશભરના ખેડૂતોને ઘઉંના ભાવ MSP કરતા વધારે મળી રહ્યા છે. હાલમાં બજારમાં ઘઉંની મોડલ કિંમત 2300 થી 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">