માત્ર છાણા બનાવવા જ નહીં કાગળ બનાવવામાં પણ થાય છે છાણનો ઉપયોગ, પશુપાલકો આ રીતે કરી શકે છે વધુ કમાણી

ગાયના છાણમાંથી અન્ય ઘણા પ્રકારના ઉત્પાદનો બનાવવામાં(Cow Dung Business)આવી રહ્યા છે, તેમની બજારમાં ખૂબ માગ છે. ત્યારે ચાલો જાણીએ કે છાણનો છાણા બનાવવા ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે.

માત્ર છાણા બનાવવા જ નહીં કાગળ બનાવવામાં પણ થાય છે છાણનો ઉપયોગ, પશુપાલકો આ રીતે કરી શકે છે વધુ કમાણી
Cow Dung UseImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 12:37 PM

મોટા ભાગના પશુપાલકો (Pastoralists)ગામડાઓમાં ગાય-ભેંસના છાણનો ઉપયોગ (Cow Dung Uses)છાણા બનાવવા અથવા તેને ખાતર તરીકે ઉપયોગ કરે છે. જો કે, આજના યુગમાં ગાયના છાણમાંથી છાણા બનાવવાથી લઈ ખેતરો માટે ખાતર બનાવવા માટે છાણ(Cow Dung)નો ઉપયોગ સિવાય પણ અન્ય ઘણી વસ્તુ બને છે. જેમાં ગાયના છાણમાંથી અન્ય ઘણા પ્રકારના ઉત્પાદનો બનાવવામાં(Cow Dung Business)આવી રહ્યા છે, તેમની બજારમાં ખૂબ માગ છે. ત્યારે ચાલો જાણીએ કે છાણનો છાણા બનાવવા ઉપરાંત બીજી કઈ કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે.

જણાવી દઈએ કે ખેડૂતો ગાયના છાણનો ઉપયોગ બાયોગેસ, અગરબત્તી, દીવા, કાગળ, સીએનજી પ્લાન્ટ, પોટ્સ જેવા અનેક પ્રકારના ઉત્પાદનો બનાવવા માટે કરી શકાય છે. અહીં અમે ખેડૂતો અને પશુપાલકોને ગાયના છાણના વિવિધ ઉપયોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગાયના છાણમાંથી બને છે કાગળ

ગાય-ભેંસના છાણનો ઉપયોગ કરીને કાગળ તૈયાર કરી શકાય છે. ભારત સરકાર પણ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ દ્વારા પશુપાલકો પાસેથી છાણ ખરીદીને તેમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગાયના છાણમાંથી મૂર્તિઓ અને ઘડા બનાવવા

આ દિવસોમાં ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનું ચલણ પણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. માટીની તુલનામાં, ગાયના છાણમાંથી મૂર્તિ બનાવવાનો ખર્ચ ઓછો છે અને વધુ નફો કમાઈ શકો છો. ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવવા માટે મેક ઈન ઈન્ડિયા, ક્લીન ઈન્ડિયા અને ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આવા કામમાં મહિલાઓ સક્રિયપણે ભાગ લઈ રહી છે. આ ઉપરાંત વાસણ બનાવવામાં પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે.

ગોબર બાયોગેસ પ્લાન્ટનો વ્યવસાય

તમે ગાયના છાણમાંથી બનાવેલ બાયોગેસ પ્લાન્ટ લગાવીને સારો નફો કમાઈ શકો છો. તમે પ્લાન્ટ સ્થાપવા માટે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકો છો.

અગરબત્તી બનાવવામાં ઉપયોગ

ગાયના છાણનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે થાય છે. ઘણી કંપનીઓ પશુપાલકો પાસેથી વાજબી ભાવે ગાયનું છાણ ખરીદે છે અને તેનો ઉપયોગ સુગંધિત અગરબત્તીઓ બનાવવા માટે કરે છે.

ખાતર તરીકે ઉપયોગ

આજકાલ સરકાર પણ ખેડૂતોને કુદરતી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ખાતર તરીકે ગાયના છાણનો ઉપયોગ તેની ખેતીમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેના ઉપયોગથી ખેડૂતો જીવામૃતમાંથી અળસિયાનું ખાતર બનાવીને તેમના પાકનું ઉત્પાદન વધારી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">