ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડી 500 રૂપિયાથી વધારી 1200 રૂપિયા કરી

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો માટે ખુશખબર, કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડી 500 રૂપિયાથી વધારી 1200 રૂપિયા કરી
Symbolic Image
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 12:44 PM

કેન્દ્ર સરકારે ખેડૂતોના (Farmers) હિતમાં મોટો નિર્ણય લીધો છે. ખરીફ (Kharif) સીઝનમાં લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોને ઘણી રાહત મળશે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ડીએપી (DAP) પર સબસિડી માટે 9125 કરોડ રૂપિયા જાહેર કરાયા છે, જ્યારે એનપીકે ખાતર માટે રૂ. 5650 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.

આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ગયા મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરો પરની સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સંદર્ભમાં એક સૂચના પણ 20 મેના રોજ જારી કરવામાં આવી હતી.

ડીએપીની એક થેલી પર 1200 રૂપિયા સબસિડી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ નિર્ણય અંતર્ગત ડીએપી ખાતર પર સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી વધારીને 1,200 કરવામાં આવી છે, જે આશરે 140 ટકાનો વધારો છે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપીના ભાવમાં વધારા હોવા છતાં તેનું વેચાણ બેગ દીઠ 1,200 ની જૂની કિંમતે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, કેન્દ્ર સરકારે જ ભાવ વધારાનો સંપૂર્ણ ભાર સહન કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ બેગ સબસિડીની માત્રામાં આટલો વધારો ક્યારેય થયો નથી.

2400 રૂપિયા પ્રતિ બેગ ડીએપીની કિંમત છે

છેલ્લા કેટલાક મહિનાઓમાં ડીએપી અને અન્ય પી એન્ડ કે ખાતરોના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તીવ્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં રેડીમેડ ડીએપી વગેરેના ભાવ પણ સમાન પ્રમાણમાં વધ્યા છે. આમ ડીએપીની બેગની વાસ્તવિક કિંમત વધીને રૂ. 2,400 થઈ છે, જે ખાતર કંપનીઓ 500 રૂપિયાની સબસિડી સાથે બેગ દીઠ 1,900 રૂપિયામાં વેચે છે. સરકારે આ નિર્ણયને ધ્યાનમાં રાખીને લીધો હતો કે, ખેડૂતો ઉપર કોઈ વધારાનો ભાર ન આવે. આ નિર્ણયને લીધે હવે ખેડૂતોને માત્ર 1200 રૂપિયામાં DAP મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવા માટે આશરે 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. ડીએપી અને અન્ય સબસિડીવાળા પી એન્ડ કે ખાતરો પર સબસિડીમાં વધારાની સાથે સાથે ખરીફ સીઝન 2021 માટે 14,775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">