Lumpy Skin Disease: પશુપાલકોને મળશે મોટી રાહત, લમ્પી રોગની વિકસાવવામાં આવી સ્વદેશી રસી

આ રસીને લમ્પીના રોગ(Lumpy Skin Disease)ના નિદાન માટે ખુબ મહત્વની ગણાવતા તોમરે કહ્યું કે માનવ સંસાધનની સાથે પશુધન આપણા દેશની એક મોટી તાકાત છે, જેને બચાવવાની આપણી મોટી જવાબદારી છે.

Lumpy Skin Disease: પશુપાલકોને મળશે મોટી રાહત, લમ્પી રોગની વિકસાવવામાં આવી સ્વદેશી રસી
lumpy skin disease ProVacInd vaccineImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2022 | 1:28 PM

દેશના પશુધનને મોટી રાહત આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પ્રાણીઓને લમ્પી સ્કિન રોગથી બચાવવા માટે સ્વદેશી રસી (Lumpy-Pro Vac-Ind) લોન્ચ કરી છે. આ રસી નેશનલ ઇક્વિન રિસર્ચ સેન્ટર, હિસાર (હરિયાણા) દ્વારા ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થા, ઇજ્જતનગર (બરેલી)ના સહયોગથી બનાવવામાં આવી છે. આ રસીને લમ્પીના રોગ(Lumpy Skin Disease)ના નિદાન માટે ખુબ મહત્વની ગણાવતા તોમરે કહ્યું કે માનવ સંસાધનની સાથે પશુધન આપણા દેશની એક મોટી તાકાત છે, જેને બચાવવાની આપણી મોટી જવાબદારી છે.

તોમરે કહ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) હેઠળ આ રસી વિકસાવીને વધુ એક નવું પરિમાણ સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે ઇક્વિન રિસર્ચ સેન્ટર અને વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા, જેમના પ્રયત્નોથી લમ્પી રોગની રસી વિકસાવવામાં આવી છે. 2019 માં આ રોગ ભારતમાં આવ્યો ત્યારથી, સંસ્થાઓ રસી વિકસાવવામાં વ્યસ્ત હતી.

રસી 100% અસરકારક

આ વર્ષે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લમ્પી રોગ ફેલાયો છે. વૈજ્ઞાનિકોએ લમ્પી રોગના પડકારનો સ્વીકાર કર્યો અને ટૂંકા સમયમાં મર્યાદિત ટેસ્ટિંગમાં તમામ પ્રમાણભૂત સ્તરે 100% અસરકારક રસી વિકસાવી, જે લમ્પી રોગથી છુટકારો મેળવવામાં અસરકારક રહેશે. તોમરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે પ્રાણીઓને રાહત આપવા માટે આ રસી વહેલી તકે મોટી સંખ્યામાં પૂરી પાડવી જોઈએ. દેશમાં 300 મિલિયન પશુધન છે, મૂંગા પ્રાણીઓની દુર્દશાને ધ્યાનમાં રાખીને, તેમને વહેલી તકે રાહત આપવા માટે શક્ય તમામ પગલાં લેવા જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લમ્પી રોગ શું છે?

લમ્પી રોગએ પ્રાણીઓનો વાયરલ રોગ છે, જે પોક્સ વાયરસથી મચ્છર, માખી, ટિક્સ વગેરે દ્વારા પ્રાણીથી બીજા પ્રાણીમાં ફેલાય છે. શરૂઆતમાં બે થી ત્રણ દિવસ સુધી હળવો તાવ રહે છે. આ પછી, આખા શરીરની ચામડીમાં 2-3 સેમીના ગઠ્ઠા બહાર આવે છે. આ ગાંઠો ગોળાકાર છે. જે આગળની ચામડીની સાથે સ્નાયુઓની ઊંડાઈ સુધી જાય છે. ગઠ્ઠો મોં, ગળા અને શ્વસન માર્ગમાં ફેલાય છે. આનાથી પગમાં સોજો આવે છે, દૂધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે, ગાભણ પશુ તરવાઇ જાય અને પશુનુ મૃત્યુ પણ થઈ શકે છે.

વાયરસથી પશુને બચાવવા શું કરી શકાય

આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. આ ઉપરાંત પશુ રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી. અને જો પશુની હાલત વધુ ખરાબ હોય તો તાત્કાલિક પશુ ડોક્ટરનો સંપર્ક કરવો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">