નેનો યુરિયાથી ખેડૂતો બનશે સમૃદ્ધ, PM મોદીએ લોન્ચ કર્યા 600થી વધુ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો

વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 PM-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PM-KSKs)નું પણ ઉદ્ઘાટન કર્યું અને ભારત યુરિયા બેગ બ્રાન્ડ નામ હેઠળ ખેડૂતો માટે વન નેશન-વન ફર્ટિલાઇઝર નામની મહત્વપૂર્ણ યોજના પણ શરૂ કરી.

નેનો યુરિયાથી ખેડૂતો બનશે સમૃદ્ધ, PM મોદીએ લોન્ચ કર્યા 600થી વધુ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો
PM Narendra Modi (ફાઈલ ફોટો)Image Credit source: TV9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 4:47 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ સોમવારે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના પુસા મેલા મેદાન ખાતે બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ રૂ. 16,000 કરોડનો 12મો હપ્તો બહાર પાડ્યો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 PM-કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PM-KSKs)નું પણ ઉદ્ઘાટન કર્યું અને ભારત યુરિયા બેગ બ્રાન્ડ નામ હેઠળ ખેડૂતો માટે વન નેશન-વન ફર્ટિલાઈઝર નામની મહત્વપૂર્ણ યોજના પણ શરૂ કરી.

આ અવસરે વડાપ્રધાન મોદીએ કરોડો ખેડૂતો, કૃષિ સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, નીતિ નિર્માતાઓ, બેંકર્સ, અન્ય હિતધારકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે આજે એવી તક છે કે આ જ કેમ્પસમાં એક જ પ્લેટફોર્મ પર સ્ટાર્ટઅપ છે અને દેશના લાખો ખેડૂતો છે. આજે, આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પરથી ખેડૂતોનું જીવન સરળ બનાવવા, ખેડૂતોને વધુ સમૃદ્ધ બનાવવા અને આપણી કૃષિ પ્રણાલીને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઘણા મોટા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આજે દેશમાં 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો શરૂ થઈ રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નેનો યુરિયાની નાની બોટલથી કામ થઈ જાય છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કિસાન સમૃદ્ધિ કેન્દ્ર એ ખેડૂત માટે માત્ર ખાતર ખરીદ અને વેચાણ કેન્દ્ર નથી. તે એક સંપૂર્ણ કેન્દ્ર છે જે ખેડૂત સાથે ગાઢ સંબંધ જોડે છે, તેને દરેક જરૂરિયાતમાં મદદ કરે છે. તેમણે કહ્યું કે અમે 100 ટકા લીમડાનું કોટિંગ કરીને યુરિયાનું બ્લેક માર્કેટિંગ બંધ કર્યું. અમે દેશની છ સૌથી મોટી યુરિયા ફેક્ટરીઓને ફરીથી શરૂ કરવા માટે સખત મહેનત કરી, જે વર્ષોથી બંધ હતી. યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત હવે ઝડપથી પ્રવાહી નેનો યુરિયા તરફ આગળ વધી રહ્યું છે. નેનો યુરિયા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટેનું માધ્યમ છે. જેને યુરિયાની એક બોરીની જરૂર હોય, તે કામ હવે નેનો યુરિયાની નાની બોટલથી થાય છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબી છે.

સમાન ગુણવત્તાયુક્ત યુરિયાનું વેચાણ કરવામાં આવશે

પીએમ મોદીએ કહ્યું કે આ એવા કેન્દ્રો હશે જ્યાં માત્ર ખાતર જ નહીં, પરંતુ બિયારણ, સાધનસામગ્રી, માટી પરીક્ષણ, ખેડૂતને જે પણ માહિતીની જરૂર હોય તે આ કેન્દ્રો પર એક જગ્યાએ ઉપલબ્ધ હશે. ખાતર ક્ષેત્રના સુધારા માટેના અમારા પ્રયાસોમાં આજે વધુ બે મોટા સુધારા, મોટા ફેરફારો ઉમેરવામાં આવનાર છે. પહેલો ફેરફાર એ છે કે આજથી દેશભરમાં 3.25 લાખથી વધુ ખાતરની દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો તરીકે વિકસાવવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતને તમામ પ્રકારની મૂંઝવણોમાંથી મુક્તિ મળશે અને સારું ખાતર પણ ઉપલબ્ધ થશે. હવે દેશમાં એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાવાળા યુરિયાનું વેચાણ થશે.

તેમણે કહ્યું કે આજે આપણી પાસે જે પરંપરાગત બરછટ અનાજ- બાજરીના બીજની ગુણવત્તા વધારવા માટે દેશમાં ઘણા હબ બનાવવામાં આવી રહ્યા છે. સરકારના પ્રયાસોથી આગામી વર્ષને બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર વિશ્વમાં ભારતના બરછટ અનાજને પ્રોત્સાહન મળે. ‘પર ડ્રોપ મોર ક્રોપ’ના મંત્રને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ સિંચાઈ પર ઘણો ભાર આપવામાં આવી રહ્યો છે. છેલ્લા 7-8 વર્ષમાં દેશની લગભગ 70 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈના દાયરામાં લાવવામાં આવી છે.

ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક કરોડથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી ભાગ લઈ રહ્યા છે. નોંધનીય છે કે દેશના મધ્યમ અને નાના ખેડૂતોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાને આઠ વર્ષ થયા છે અને દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવે છે. તે દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાપાત્ર છે. ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">