કૃષિ ક્ષેત્ર માટે મોટા સમાચાર, આવતા વર્ષ સુધીમાં ખેડૂતોને નેનો DAP મળવા લાગશે, ત્રણ પ્લાન્ટમાં થશે ઉત્પાદન

પાણીની અછતને જોતા નેનો યુરિયા(Nano Urea)નો ઉપયોગ સારા પરિણામો આપી રહ્યો છે. પાંદડા પર નેનો યુરિયાનો છંટકાવ કરીને નાઈટ્રોજન પૂરો પાડવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન વધવાની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.

કૃષિ ક્ષેત્ર માટે મોટા સમાચાર, આવતા વર્ષ સુધીમાં ખેડૂતોને નેનો DAP મળવા લાગશે, ત્રણ પ્લાન્ટમાં થશે ઉત્પાદન
Nano Urea LiquidImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:38 AM

ખેડૂતો(Farmers)માટે એક સારા સમાચાર છે. આવતા વર્ષ સુધીમાં નેનો યુરિયાની તર્જ પર નેનો ડીએપી (Nano DAP)બજારમાં આવશે. નેનો ટેકનોલોજી દ્વારા કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં જૈવિક ખાતરોને પ્રોત્સાહન આપવાની પણ સખત જરૂર છે. IFFCOના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ઉદય શંકર અવસ્થીએ જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સામાન્ય યુરિયાના ઉપયોગથી ખેતીની સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. જ્યારે નેનો યુરિયામાં આવું નથી. રાજસ્થાનમાં પાણીની અછતને જોતા નેનો યુરિયા(Nano Urea)નો ઉપયોગ સારા પરિણામો આપી રહ્યો છે. પાંદડા પર નેનો યુરિયાનો છંટકાવ કરીને નાઈટ્રોજન પૂરો પાડવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન વધવાની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય છે.

ઇફ્કોનું ગુજરાતના કલોલ ખાતેનું વિસ્તરણ યુનિટ, કંડલા યુનિટ અને ઓડિશામાં પારાદીપ યુનિટ નેનો ડીએપી બનાવવાનું કામ હાથ ધરશે. ત્રણેય એકમોમાં દરરોજ 500 ml પ્રવાહી DAPની બે લાખ બોટલ તૈયાર કરવામાં આવશે. નેનો ડીએપીનું ઉત્પાદન કલોલ વિસ્તરણ યુનિટમાં માર્ચ 2023 સુધીમાં શરૂ થશે. જુલાઇ 2023 સુધીમાં પારાદીપ અને ઓગસ્ટ 2023 સુધીમાં કંડલા ખાતે ઉત્પાદન શરૂ થવાની ધારણા છે. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોને આશા છે કે નેનો યુરિયાની તર્જ પર નેનો ડીએપી પણ ખેડૂતો માટે આર્થિક અને પાક માટે વધુ અસરકારક સાબિત થશે.

કેટલા પૈસા ખર્ચ થશે

IFFCO નેનો યુરિયા, નેનો ડીએપી અને નેનો સૂક્ષ્મ પોષકતત્ત્વોના ઉત્પાદન માટે અમલા, ફુલપુર, કલોલ (વિસ્તરણ), બેંગ્લોર, પારાદીપ, કંડલા, દેવઘર અને ગુવાહાટી ખાતે એકમ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ તમામ એકમોની પ્રતિદિન 2 લાખ બોટલની ઉત્પાદન ક્ષમતા હશે. આ ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે 3000 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેમાંથી 720 કરોડની રકમ પહેલેથી જ ફાળવવામાં આવી છે. આ પ્લાન્ટ લગભગ 1000 લોકોને રોજગાર આપવામાં મદદ કરશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

નેનો યુરિયાનો ઉપયોગ કરવા અપીલ

બીજી તરફ રાજસ્થાનમાં સહકારી વિભાગના મુખ્ય સચિવ શ્રેયા ગુહાએ ખેડૂતોને કૃષિમાં યુરિયાની જગ્યાએ નેનો યુરિયાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે નેનો યુરિયા ઉત્પાદન વધારવાની સાથે સાથે પર્યાવરણની સુરક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. સહકારી મંડળીઓએ ખેડૂતોને નેનો યુરિયાના ઉપયોગ અને તેના ફાયદા વિશે જાગૃત કરવા જોઈએ.

તેમણે કહ્યું કે કૃષિ અને સહકાર વિભાગે નેનો યુરિયા વિશે માહિતી ફેલાવવા માટે જિલ્લા અને બ્લોક સ્તરે પરિષદો યોજવી જોઈએ. આગામી સમયમાં ખેતીમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ વધશે. આ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓ તેમની ભૂમિકા દ્વારા ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">