કોણે ફેલાવી તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા, શું હતું કારણ, જાણો વિગત

આગ્રાના લોહમંડી પોલીસ સ્ટેશનમાં યુપી પોલીસને તાજમહાલમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. જે બાદ તેમને સર્ચ ઓપરેશન હાથ ધરીને આ અફવા ફેલાવનાર યુવકની ધરપકડ કરી હતી.

કોણે ફેલાવી તાજમહેલમાં બોમ્બ હોવાની અફવા, શું હતું કારણ, જાણો વિગત
તાજમહેલ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 04, 2021 | 11:59 AM

વિશ્વના સાત અજાયબીઓમાંથી એક તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા, પરંતુ આ માહિતી નકલી હોવાનું બહાર આવ્યું છે. જો કે બોમ્બની માહિતી મળ્યા બાદ અંદર આવેલા પ્રવાસીઓને બહાર નીકાળી દેવામાં આવ્યા હતા અને તાજમહેલના બંને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર વિસ્ફોટકો હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું છે કે તે નોકરી નહીં મળતાં નારાજ થઇને આ કામ કર્યું.

સૈનિક ભરતી રદ થતાં યુવક હતો નારાજ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જણાવી દઈએ કે આગ્રાના લોહમંડી પોલીસ સ્ટેશનમાં યુપી પોલીસને બોમ્બની સૂચના મળી હતી. આગ્રામાં પ્રોટોકોલ એસપી શિવરામ યાદવે જણાવ્યું હતું કે ફોન દ્વારા બોમ્બ અંગેની માહિતી આપતો યુવાન ફિરોઝાબાદનો રહેવાસી છે. લશ્કરી ભરતી રદ થતાં તે ગુસ્સે હતો. શિવરામ યાદવે કહ્યું કે ફોન કોલ બાદ પોલીસે નંબર દ્વારા યુવકની શોધી કરવામાં આવી હતી અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

તાજમહેલમાં સર્ચ ઓપરેશન

બોમ્બની જાણ થતાં જ તાજમહેલ સંકુલમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફ તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આખા તાજમહેલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ આ વિસ્તારમાં હંગામો મચી ગયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે બોમ્બના સમાચાર ફેક છે. જોકે, વહીવટી તંત્રે સમયસર કડક પગલા લીધા હતા.

નોંધપાત્ર વાત છે કે દરરોજ હજારો લોકો તાજમહેલને જોવા આવે છે. દેશમાંથી જ નહીં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો ભારત આવે છે. શાહજહાંએ મુમતાઝના અવસાન પછી તાજમહેલ બનાવ્યો હતો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">