ભંગારના વેપારીએ સરકારને લગાવ્યો 14.13 કરોડનો ચૂનો, થઇ ધરપકડ, જાણો વિગત

ઉદયપુરના ભંગારના વેપારીએ બનાવટી કંપનીઓ બનાવીને 14 કરોડ 13 લાખ રૂપિયાની જીએસટીની ચોરી કરી હતી. જીએસટી વિભાગના ઉદયપુર યુનિટે તેની ધરપકડ કરી છે. આરોપી પંજાબનો રહેવાસી છે.

ભંગારના વેપારીએ સરકારને લગાવ્યો 14.13 કરોડનો ચૂનો, થઇ ધરપકડ, જાણો વિગત
આરોપીની થઇ ધરપકડ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 04, 2021 | 3:48 PM

ઉદેપુરમાં GSTની ચોરીની મોટી ઘટના સામે આવી છે. એક ભંગારનો વ્યાપાર કરનાર વેપારીએ GSTની ચોરી કરીને સરકારને 14 કરોડ 13 લાખનો ચૂનો લગાવ્યો. સેન્ટ્રલ GSTની ટીમે તેની ધરપકડ કરી છે. આરોપી પંજાબનો રહેવાસી છે. પૂછતાછ બાદ અદાલતમાં રજુ કરવા માટે તેને જોધપુર લઇ જવામાં આવ્યો છે.

સેન્ટ્રલ જીએસટી ટીમે 14 કરોડ 13 લાખની જીએસટી ચોરી બદલ પંજાબના ગોવિંદગ ગઢમાં રહેતા પવનકુમાર શર્માની ધરપકડ કરી છે. પવનકુમાર શર્મા કરચોરીના કેસમાં એક રીઢો ગુનેગાર છે. જીએસટીનું ઉદયપુર એકમ છેલ્લા ત્રણ મહિનાથી તેને શોધી રહ્યું હતું. પવનકુમાર શર્મા બનાવટી જીએસટી ક્રેડિટ બતાવવા કરવા માટે નકલી ફર્મ અને બનાવટી બીલોનો આસરો લેતો હતો.

રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીથી બનતા હતા નકલી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જીએસટી વિભાગના ઉદયપુર યુનિટને જ્યારે આ છેતરપિંડીની ખબર પડી ત્યારે તેણે પાવનની શોધખોળ શરૂ કરી. પવનકુમાર શર્મા મુખ્યત્વે ભંગારનો વેપારી છે. તે ઉદયપુર અને તેના નજીકના જિલ્લાઓમાંથી નાના ભંગારના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદતો હતો અને રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીથી નકલી બિલ મેળવતો હતો. આ બીલોમાં જીએસટી ક્રેડિટ નકલી બતાવવામાં આવતું હતું. તે આ રીતે જીએસટી ચોરી રહ્યો હતો.

લગભગ આઠ થી દસ નકલી કંપનીઓ બનાવી છે

જીએસટી ટીમની તપાસમાં ખુલાસો થયો કે પવનકુમાર શર્માએ અત્યાર સુધીમાં આશરે આઠથી દસ જેટલી બનાવટી કંપનીઓ બનાવી છે. આ કંપનીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવી હતી. જેમાં એક બે મહિનામાં કરોડો રૂપિયાના લેણદેણ પછી,બંધ કરી દેવામાં આવતી હતી. પવનકુમાર શર્માને જ્યારે જાણ થઇ જતી કે હવે કંપની પર જીએસટી નજર છે ત્યારે કંપની બંધ કરી દેતો અને નવી કંપની બનાવીને આ કામ શરુ કરી દેતો.

અત્યાર સુધીમાં આશરે 80 કરોડનો વ્યવહાર

પ્રારંભિક માહિતી અનુસાર તેણે બનાવટી કંપનીઓ દ્વારા આશરે 80 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. તેના આધારે જીએસટી વિભાગે 14 કરોડ 13 લાખની છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. આ આંકડો હજુ વધવાની સંભાવના છે. જીએસટી ઉદયપુર કમિશ્નરેટની એન્ટિ એવિએશન શાખાએ આ આરોપીની ધરપકડ કરવા માટે ત્રણ મહિના સખત મહેનત કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">