અમદાવાદ: સામાન્ય વાતમાં વસ્ત્રાલમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, 4 લોકો ઘાયલ
અમદાવાદ નજીક વસ્ત્રાલ ગામે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઘટનામાં સામસામે પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. વિગતો મુજબ સામન્ય વાતમાં થયેલો ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં બન્ને પક્ષોએ મારામારી કરી હતી. બન્ને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જૂથ અથડામણ પથ્થર અને લાકડીઓ વડે થઈ […]
અમદાવાદ નજીક વસ્ત્રાલ ગામે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઘટનામાં સામસામે પથ્થરમારો થયો હોવાના સમાચાર છે. વિગતો મુજબ સામન્ય વાતમાં થયેલો ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. જેમાં બન્ને પક્ષોએ મારામારી કરી હતી. બન્ને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 4 લોકો ઘાયલ થયાના સમાચાર છે. જૂથ અથડામણ પથ્થર અને લાકડીઓ વડે થઈ હતી. જેમાં બન્ને પક્ષોના લોકો સામસામા આવી ગયાં હતાં. આખરે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમં પોલીસે મોરચો સંભાળી લીધો હતો અને પરિસ્થિતીને કાબુમાં લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ સામાન્ય વાતમાં થયેલા ઝઘડા બાદ ઉગ્ર ઝઘડો થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: માત્ર બે મહિનામાં સેન્સેક્સે 6 હજાર અંકની લગાવી છલાંગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો