TV9 Exclusive : વલસાડમાં યુવતી આત્મહત્યા કેસમાં સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં

ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:48 PM

ગુજરાતના(Gujarat)વડોદરામાં(Vadodara)થયેલ રેપ(Rape)અને ત્યાર બાદ વલસાડમાં(Valsad)યુવતીએ કરેલી આત્મહત્યાના(Suiside)કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વલસાડ રેલવે પોલીસે નોંધેલ FIRની કેટલીક મહત્વની માહિતી TV9 પાસે છે. જેમાં યુવતીની સંસ્થા ઓએસીસના સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.

જેમાં પોલીસની અલગ અલગ એજન્સીઓની તપાસમાં ઓએસીસની સંસ્થાના સંચાલકો અને સ્ટાફ શંકાના દાયરામાં છે. તેમજ યુવતીની ડાયરીના કેટલાક પાના સંસ્થા માટે હિત ધરાવતી વ્યક્તિ દ્વારા ફાડવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવ્યા છે. જેમાં સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ યુવતીની ડાયરીના છેલ્લા અડધા પાનાનું લખાણ મોબાઈલથી ફોટો પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને વોટ્સઅપથી મોકલેલ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમજ વોટ્સઅપથી પાડેલ ડાયરીનો ફોટો ડિલીટ કર્યો હોવાની વિગત પણ સાંપડી છે. જ્યારે ભોગ બનનાર યુવતી જે સાયકલ વાપરતી હતી તે સાયકલ અંગે પણ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવી રહી નથી. તેથી પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં હાલ તો વલસાડ રેલવે પોલીસ મથકે IPC 376 D, 306, 365, 342, 323, 201 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

વલસાડ પોલીસે જે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેની વ્યાખ્યા

376(d) ગેંગ રેપ , 365 અપહરણ અને ખોટી રીતે કેદ , 323 ગંભીર ઇજા પહોંચાડવી , 306 આત્મહત્યા માટે ઉશ્કેરણી, 342 ખોટી રીતે કેદ , 201 પુરાવાનો નાશ કરવો

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

આ પણ વાંચો :  અમદાવાદ : સાબરમતીમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સજાતિય સંબંધમાં આવેલી ખટાશ બન્યું મોતનું કારણ

Follow Us:
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">