નહાયા પછી ટુવાલ આપવામાં થયો વિલંબ! પતિએ પત્નીને આ રીતે મોતને ઘાટ ઉતારી દીધી, જાણો સમગ્ર મામલો
એક તરંગી પતિએ ટુવાલ ન આપવા બાબતે પત્ની પર પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી.
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક તરંગી પતિએ ટુવાલ ન આપવા બાબતે પત્ની પર પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અહીં 50 વર્ષીય પતિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરી કે કારણ કે, પત્નીએ તેને સ્નાન કર્યા પછી તરત જ ટુવાલ ન આપ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે પતિ દ્વારા પત્નીની હત્યા અંગેની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વાસ્તવમાં આ ઘટના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામની છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 6 વાગે રાજકુમાર બાહે (50)એ સ્નાન કર્યા બાદ તેની પત્ની પુષ્પા બાઈ (45) પાસેથી ટુવાલ માંગ્યો હતો. ત્યારે પુષ્પાબાઈ વાસણ ધોતી હતી. તે દરમિયાન તેણે તેના પતિને થોડીવાર રાહ જોવા કહ્યું, આ બાબતે ગુસ્સામાં આવીને રાજકુમારે ઘરમાં રાખેલા પાવડા વડે પુષ્પાબાઈ પર હુમલો કર્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર માથામાં ગંભીર ઈજાના કારણે પુષ્પાબાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આટલું જ નહીં, જ્યારે આરોપીને તેની 23 વર્ષની પુત્રીએ આવું કરતા અટકાવ્યો તો તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. તે જ સમયે, ઘટના પછી, આરોપી પિતાએ તેની પુત્રી નેહા (23)ને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રવિવારે પોસ્ટમોર્ટમ કરાવી લાશને સ્વજનોને સોંપી હતી.
કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી વન વિભાગમાં રોજના વેતન પર કામ કરે છે. પત્નીની હત્યાના આરોપમાં તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. તે જ સમયે આરોપી પતિ વિરુદ્ધ IPCની કલમ 302, 201, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: FSSAI Recruitment 2021: FSSAIમાં જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો
આ પણ વાંચો: NFL Recruitment 2021: નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે NFLમાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી